ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા

Spread the love

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં ભક્તિભાવ ઉત્સાહ સાથે યોજાશે પોથીયાત્રા

ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા યોજાશે. અહીંયા શ્રી ગણેશજી મંદિર અને શ્રી હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.

ઐતિહાસિક અને ગૌરવવંતી ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર શ્રી મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી રામકથા લાભ મળનાર છે, જેની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે.

શ્રી લાલગીરીબાપુ ગુરુ શ્રી વિજયગીરીબાપુ તથા સેવક સમુદાયના સંકલ્પ આયોજન સાથે શ્રી કૈલાસ ટેકરી પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે આ રામકથા પ્રસંગે પુરા પંથકમાં ભાવ અને હરખ રહેલો છે.

શનિવાર તા.૧૮થી પ્રારંભ થનાર અને રવિવાર તા.૨૬ના પૂર્ણાહુતિ થનાર આ રામકથા પ્રસંગે શ્રી લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ભવ્ય આયોજનો થયાં છે. શનિવારે પ્રારંભે પાલિતાણા નગરથી ભાવભેર પોથીયાત્રા યોજાશે.

રામકથામાં સ્થાનિક અને રાષ્ટ્રીય ધાર્મિક મહાનુભાવોનું પણ સાનિધ્ય મળનાર છે. દ્વારકા શ્રી શારદાપીઠનાં બ્રહ્મચારી શ્રી નારાયણનંદજી સ્વામી, મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરિજી મહારાજ, શ્રી શરણાનંદજી મહારાજ, સ્વામી શ્રી સચ્ચિદાનંદ સરસ્વતીજી, શ્રી શેરનાથજીબાપુ, શ્રી મુક્તાનંદબાપુ, આચાર્ય શ્રી લોકેશમુની સનાતનીજી, શ્રી દિલીપદાસજી મહારાજ અને શ્રી સંતોષદાસજી મહારાજ સહિત ધર્માચાર્યોની ઉપસ્થિતિ રહેનાર છે.

રામકથા દરમિયાન રવિવાર તા.૧૯થી મંગળવાર તા.૨૧ દરમિયાન અહીંયા શ્રી ગણેશજી મંદિર અને શ્રી હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. કથાના દિવસો દરમિયાન સગાપરા ગામ સહિત અલગ અલગ યજમાનો દ્વારા લાભ લેવામાં આવનાર છે. સમગ્ર પંથકમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય મહાનુભાવો અને કાર્યકર્તાઓ સાથે ભાવિક શ્રોતાઓમાં ભાવ શ્રધ્ધા સાથે ભારે હરખ રહેલો છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *