વિશ્વ ભોજન, ઇન્ટરેક્ટિવ લાઇવ સ્ટેશન અને સિગ્નેચર હોસ્પિટાલિટી પ્રસ્તુત કરવા માટે
અમદાવાદ, 2024: ઇન્ડિયન હોટેલ્સ કંપની (IHCL) દ્વારા તેના પ્રકારની અનોખી લક્ઝરી ફૂડ એન્ડ બેવરેજ કન્સેપ્ટ સોલિનાયર તેના સ્વાદિષ્ટ રાંધણ અનુભવોના વિસ્તરણ સાથે ગુજરાતમાં નોંધપાત્ર હાજરી આપવા માટે તૈયાર છે. અમદાવાદમાં હાઈ-એન્ડ રાંધણ અનુભવોની વધતી જતી માંગને જોતા IHCLએ શહેરમાં સોલિનાયરને રજૂ કરવાનું નક્કી કર્યું, જે તેની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સાબિત થયું.
કંપનીએ સત્તાવાર કેટરિંગ વિભાગ તરીકે 2019માં તેની શરૂઆત થઈ ત્યારથી સોલિનાયરે પોતાને કેપિટલમાં આઉટડોર કેટરિંગ ઇવેન્ટ્સ માટે પસંદગીના વિકલ્પ તરીકે સ્થાપિત કર્યું છે અને અમદાવાદના વાઇબ્રન્ટ શહેરમાં તેની ગેસ્ટ્રોનોમિક શ્રેષ્ઠતા લાવવા માટે તૈયાર છે. IHCLના અદ્વિતીય રાંધણ ભંડારમાંથી પ્રેરણા લઈને સોલિનાયરને વિશ્વ-સ્તરીય અનુભવાત્મક કાર્યક્રમ 120 વર્ષથી પણ વધુ સમયથી સન્માનિત આતિથ્ય અને સેવા ફિલોસોફીને એકસાથે લાવવા માટે રચાયેલ છે.
અમદાવાદ શહેરના મધ્યમાં આવેલ એક પ્રતિષ્ઠિત લક્ઝરી બેંકવેટ સ્થળ, KRISTAR ખાતે એક નવા યુનિટની શરૂઆત સાથે આ અત્યાધુનિક કન્વેંશન સેન્ટર ઇન્ડોર અને આઉટડોર કાર્યક્રમ સ્થળોનો દાવો કરે છે, જે કોર્પોરેટ સમારંભ અને સોશિયલ સેલિબ્રેશન બંને માટે સંપૂર્ણ રીતે અનુકુળ છે.
‘ક્રિસ્ટાર સર્વિસ્ડ બાય સોલિનાયર’ ખાતેના રાંધણ અનુભવને નવીન વિભાવનાઓ જેમ કે ભવ્ય બફેટ્સ, નાના ભાગો, ફ્લાઇંગ બફેટ્સ અને બાઉલ ભોજન જેવા ઇનોવેટિવ કન્સેપ્ટ દ્વારા વધારવામાં આવશે. વધુમાં અમે અમારા માનનીય મહેમાનોની વૈવિધ્યસભર આહાર સંબંધિત પ્રાથમિકતાઓને પૂરી કરતા અમે સંપૂર્ણ-શાકાહારી અને વિગન મેનૂ ઑફર કરવાનો ગર્વ અનુભવીએ છીએ.
સોલિનાયરના જનરલ મેનેજર શ્રી સુધીર બારાબારી એ જણાવ્યું હતું, “અમે અમદાવાદના હૃદયમાં સમૃદ્ધ રાંધણ વારસો અને સમકાલીન ફ્લેવર્સના આ અનોખા મિશ્રણને રજૂ કરતા મહેમાનોને સ્વાદ અને શુદ્ધિકરણની અવિસ્મરણીય સફરનો સ્વાદ માણવા માટે આમંત્રિત કરતા રોમાંચિત છીએ”.
અમદાવાદમાં સોલિનાયરની શરૂઆત ગુજરાતમાં આઉટડોર કેટરિંગ ઉદ્યોગમાં પ્રવેશવાની એક નોંધપાત્ર તક રજૂ કરે છે. પ્રદેશની વિકસતી વ્યાવસાયિક અને પ્રવાસન ક્ષમતાનો લાભ ઉઠાવીને અમારો હેતુ વિશિષ્ટ ભોજન અનુભવો માટે પોતાને અગ્રણી વિકલ્પ તરીકે સ્થાપિત કરવાનો છે. શહેરમાં આ ક્ષેત્રમાં સાહસ કરનાર પ્રથમ વૈભવી હોસ્પિટાલિટી ચેઇન તરીકે સોલિનાયર યાદગાર પળો બનાવવા અને રાંધણ ઉત્કૃષ્ટતામાં નવા ધોરણો સ્થાપિત કરવા આતુર છે.
Aajna Samachar