ટેક-પ્રેરિત વર્લ્ડમાં, વિરાસત ફાઉન્ડેશન બાળકોમાં સંસ્કૃતિ અને સંસ્કાર નું સિંચન કરી રહ્યું છે

Spread the love

અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫ – વર્તમાન સમયમાં, જ્યારે બાળકો ડિજિટલ અને ટેકનોલોજીથી પ્રેરિત દુનિયાને ઝડપથી અપનાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં વિરાસત ફાઉન્ડેશન યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ અને વારસા સાથે પુનઃજોડવા માટે અનોખો પ્રયાસ કરી રહ્યું છે.

જ્યારે કલાસરૂમ્સ ગેજેટ્સ અને ગૂગલ સર્ચથી ભરેલા હોય તેવા સમયે, ફાઉન્ડેશન એક અલગ રૂટ અપનાવી રહ્યું છે: ગીતા જયંતિના અવસરે, વિરાસત ફાઉન્ડેશને થલતેજની એક શાળાની મુલાકાત લીધી, જ્યાં તેમણે યુવા વિદ્યાર્થીઓને પવિત્ર ભગવદ ગીતા ભેટ આપી. તેવી જ રીતે, હનુમાન જયંતિ પર, આ વખતે તેમણે હનુમાન ચાલીસા પુસ્તિકાઓનું વિતરણ કર્યું, જેથી કલાસરૂમ્સમાં એક આધ્યાત્મિક જ્યોત પ્રગટી શકે. અને હવે હિંદુ છોકરીઓ દ્વારા આદરપૂર્વક ઉજવાતી ગૌરી પૂજાના માંગલિક દિવસોમાં, ફાઉન્ડેશને વધુ એક પ્રેરણાદાયક કાર્ય કર્યું. ઉત્સવની ભેટથી વિશેષ, તેમણે નાની છોકરીઓને 384 બોક્સ ડ્રાયફ્રૂટ્સ વહેંચ્યા, જેથી તેમને યાદ રહે કે સંસ્કૃતિ નાના, હૃદયસ્પર્શી કાર્યોમાં પણ જીવંત રહે છે.

વિરાસત ફાઉન્ડેશનના સ્થાપક શ્રી રોહન જણાવે છે કે, “અમારું નામ ‘વિરાસત’ જ અમારા લક્ષ્યને સ્પષ્ટ કરે છે – એટલે કે એક પેઢીથી બીજી પેઢીમાં અપાતો વારસો. આજના ટેક-કેન્દ્રિત વિશ્વમાં, આપણા બાળકો પોતાની મૂળભૂત સંસ્કૃતિથી વિખૂટા પડી રહ્યા છે.” “આ પ્રયાસો દ્વારા, અમારો હેતુ બાળકોને આપણા સમૃદ્ધ વારસા, રીતિ-રિવાજો અને મૂલ્યો વિશે પ્રેરિત કરવાનો અને શિક્ષિત કરવાનો છે.” ઉષ્માભર્યા સ્મિત સાથે, તેઓ ઉમેરે છે, “હું ઘણીવાર ગીતા કે ડ્રાયફ્રુટ બોક્સ મારા પોતાના દીકરા, રૂહાનના હાથે જ આપું છું. હું ઈચ્છું છું કે તે આ કાર્યને ફક્ત જુએ નહીં, પણ તેને અનુભવે અને તેને પોતાના જીવનનો ભાગ બનાવે. કારણ કે વારસો પસાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ… ઘરથી જ શરૂઆત કરવાનો છે.”

વિરાસત ફાઉન્ડેશનનું કાર્ય ફક્ત વિતરણ સામગ્રી પૂરતું સીમિત નથી, પરંતુ તેના પાછળના મહત્વપૂર્ણ સંદેશને કારણે તે વિવિધતાસભર બને છે: સંસ્કૃતિ ફક્ત સંગ્રહાલયો કે પારિવારિક રીતિ-રિવાજો પૂરતી સીમિત નથી; તે શાળાઓમાં, બાળકોના હાથમાં હોવી જોઈએ, જ્યાં તે તેમની સાથે વિકસી શકે. આધુનિકતાની દોડમાં રાચતા વિશ્વમાં, વિરાસત ફાઉન્ડેશન હળવા હાથે બ્રેક લગાવીને આપણને સૌને યાદ કરાવે છે કે આગળ વધવાની સાથે, પોતાના મૂળને મજબૂત રાખવા અને તેમને સાચવીને આગળ લઈ જવા પણ એટલા જ જરૂરી છે.

ભારત જ્યારે ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વિરાસત ફાઉન્ડેશન એ સુનિશ્ચિત કરી રહ્યું છે કે આપણે આપણો વારસો પાછળ ન છોડીએ. આખરે, જે બાળક પોતાના સંસ્કાર જાણે છે તે બાળક વિશ્વને આકાર આપવા માટે તૈયાર છે — સમજદારી અને ઉત્સુકતા સાથે


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *