રોહન જરદોશે (તપધારી)એ અઠ્ઠઈના ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ જણાવ્યું

Spread the love

ગુજરાત, અમદાવાદ | 29 ઓગસ્ટ 2025: હાલ ચાલતા પર્યુષણ મહિનાના પાવન પર્વમાં જૈન સમાજમાં અઠ્ઠઈ ઉપવાસના તપધારી રોહન જરદોશે અઠ્ઠઈ ઉપવાસનું ધાર્મિકની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ જણાવ્યું હતું. રોહને અઠ્ઠઈના ઉપવાસ અંગે જણાવ્યું કે, તમે આ ઉપવાસમાં મનથી કેટલું સંયમ રાખી શકો છો, તે જ મહત્વનું છે. આમ જોવા જઈએ તો આપણને પેટની ભૂખ લાગતી હોય છે પણ એ ભૂખ પેટની નહીં પરંતુ મનની ભૂખ હોય છે. મારા મતે અઠ્ઠઈ પ્રચાર માટે ન કરવી જોઈએ અઠ્ઠઈ કરવાનું કારણ મને જોઈ કાલ કોઈ બીજો વ્યક્તિ પણ અઠ્ઠઈ કરે અને એનાથી સમાજમાં બદલાવ આવે તેવો છે. અઠ્ઠઈથી તમે તમારા મનને પણ કંટ્રોલ કરી શકો છો. અને મન ધારી લે તો કોઈપણ વસ્તુ કરવી મુશ્કેલ નથી.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *