કિલ્લારીનાં કથાગાનને વિરામ; આગામી કથાનો ૧૩ જૂનથી કોચ્ચિ (કેરલમ્)થી આરંભ થશે

Spread the love

મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે.
હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે.
તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ માનો.
મૌનનો નિરંતર અભ્યાસ કરે એ સાધુ છે.

બીજ પંક્તિઓ:
દેખત બન સર સૈલ સુહાએ;
બાલમીકિ આશ્રમ પ્રભુ આયે.
રામ દિખ મુનિબાસુ સુહાવન;
સુંદર ગિરિ કાનનુ જલુ પાવન.
-અયોધ્યા કાંડ દોહો-૧૨૩,ચૌપાઇ-૫ અને ૬
બાલમીકિ મન આનંદુ ભારી;
મંગલ મૂરતિ નયન નિહારી
-અયોધ્યા કાંડ,દોહો-૧૨૪,ચૌપાઇ-૫
આ બીજ પંક્તિઓનાં ગાયન સાથે નવમા-પૂર્ણાહૂતિ દિવસે કિલ્લારીથી ઉપસંહારક વાતો કહેતા કહ્યું કે જ્યાં તલગાજરડાનાં ત્રિભુવનીય ઠાકૂર બિરાજમાન છે તેમજ મહારાષ્ટ્રમાં વિરાજિત દરેક સ્વરૂપો,નિમિત માત્ર મનોરથી-જેણે આભારનો ભાવ વ્યક્ત કર્યો એના તરફ પ્રસન્નતાનો ભાવ રાખીને,પરમ વૈષ્ણવી પરંપરા વારકરીૉિ ધારાનાં બધા જ સાધકોને પ્રણામ કરીને કહ્યું કે હનુમાન ચાલીસામાં સંકલ્પ તો એવો છે કે:બરનવું રઘુબર બિમલ જશ-પણ વર્ણન તો હનુમાનજીના સંદર્ભમાં છે!તો શું સમજવું?
વેદોનું ભાષ્ય ઉપનિષદ,ઉપનિષદનું ભાષ્ય ભગવદ ગીતા,ભગવદગીતાનું ભાષ્ય રામચરિતમાનસ છે. રામ કિંકકરજી મહારાજ કહેતા ગીતાના બધા જ યોગ રામચરિત માનસમાં પ્રયોગ છે.રામચરિત માનસનું ભાષ્ય સુંદરકાંડ માનવામાં આવે છે. સુંદરકાંડનું ભાષ્ય હનુમાન ચાલીસા અને હનુમાન ચાલીસામાં રઘુવર માત્ર રામ નથી.ભરત,શત્રુઘ્ન, લક્ષ્મણ-બધા જ ભાઈઓ વર-શ્રેષ્ઠ છે.
હનુમાનજી પણ રઘુવર છે.રામ હનુમાનને કહે છે તું મને લક્ષ્મણ કરતા બમણો વહાલો છો.હનુમાન ચાલીસા ગુરુમહિમા છે.ચાલીસેય પંક્તિઓ ગુરુ ચાલીસા છે.૧૦-કથા હનુમાન ચાલીસા પર થઈ છે ૧૧મી કથાનો એક પાઠ બાકી છે.હનુમાન ચાલીસાની પ્રત્યેક પંક્તિ ગુરુમહિમા છે.તમને કોઈનામાં ગુરુ તત્વ ન દેખાય તો હનુમાનજીને ગુરુ માનો.
રામચરિત માનસમાં ઋષિ શબ્દથી વધારે મુનિ શબ્દનો પ્રયોગ થયો છે.મુનિનો મતલબ છે સાધુ.કોઈ સાધુ નાચવા,ગાવા ને બોલવા લાગે ત્યારે ઋષિ,અને મૌન થઈ જાય તો એ મુનિ છે.મુખર થાય ત્યારે ઋષિત્વ,મૌન થાય ત્યારે મુનિત્વ પેદા થાય છે.પણ ઋષિ-મુનિમાં ભેદ ન સમજતા.
મૌનનો નિરંતર અભ્યાસ કરે એ સાધુ છે.
એ પણ જણાવ્યું કે આવતા વર્ષે પરબનીમાં કથા બાદ અહલ્યા નગરી તેમજ મહારાષ્ટ્રના પાટનગર ઘાટકોપર-બોરીવલીમાં પણ એક કથાગાન કરવાનું છે મુનિની અનેક નિષ્ઠાઓમાં પહેલી નિષ્ઠા-મૌન છે.એ જ રીતે બીજી નિષ્ઠા-મંત્ર,માળા,મનન નિષ્ઠા.મારુતિ નિષ્ઠા,માનસ નિષ્ઠા,મહત્પાદ નિષ્ઠા અને વિશ્વ માંગલ્યની નિષ્ઠાઓ છે.
જ્ઞાનેશ્વરીજી કહે છે કે મારા મનની ગતિ આશ્રમ તરફ થાય,આમ-તેમ ભટકે નહીં.
સંક્ષિપ્ત કથાગાનમાં અંગદનો સંધિ પ્રસ્તાવ નિષ્ફળ જતા યુદ્ધ અનિવાર્ય બન્યું.રામ-રાવણનું વચ્ચે ભિષણ યુદ્ધ પછી રાવણને ગતિ આપીને,સીતાજીને પુષ્પક વિમાનમાં અયોધ્યા લવાયા.વશિષ્ઠના હાથે રામના ભાલ પર રાજ્યાભિષેકનું તિલક થયું.સત્ય, પ્રેમ,કરુણાની એ પંક્તિઓનું ગાયન કરીને તલગાજરડાનાં ઠાકૂર જ્યાં બિરાજમાન છે એ ત્રિભુવનીય ઠાકૂરનાં ચરણોમાં રામકથાનું સુ-ફળ અર્પણ કરીને કહ્યું કે ૧૦૦-૨૦૦ વર્ષ જૂની મૂર્તિ વાંગર(મહુવા પાસે) છે ત્યાં પણ એક કથા કરશું.આ કથાને વિરામ અપાયો.
આગામી-૯૭૯મી રામકથા ૧૩ જૂનથી ૨૧ જૂન દરમિયાન અરબ સાગરની રાણી એવી કોચ્ચિ(જિ-એર્નાકૂલમ્)-કેરલની ભૂમિથી ગવાશે.
જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી તથા ચિત્રકૂટધામ -તલગાજરડા યુ-ટ્યુબ ચેનલ મારફત નિયમિત સમયે નિહાળી શકાશે.

Box
રામચરિત માનસમાં રહેલા આશ્રમોની સૂચિ.
ભરદ્વાજ મુનિનો આશ્રમ,નારદ આશ્રમ,મનુ-શતરૂપા આશ્રમ,કપટ મુનિનો આશ્રમ,વિશ્વામિત્ર,ગૌતમ મુનિ, વાલ્મીકિ,રામનો ચિત્રકૂટ આશ્રમ.અત્રિ,અગસ્ય,સુતિક્ષ્ણ મુનિનો આશ્રમ, શબરી આશ્રમ,કાલનેમીનો આશ્રમ,કાગભુષંડીનો આશ્રમ.એમાં કિલ્લારીનાં આ વાલ્મીકિ આશ્રમને જોડતાં ૧૮-આશ્રમો દેખાય છે.

== સમાપ્ત ==


Spread the love

Check Also

ભારતના ઈ-હાઈવે પર ઈલેક્ટ્રિક મોબિલિટીને ટ્રાન્સફોર્મ કરવા માટે નેટ્રાડાઇન અને એનએચઇવી વચ્ચે ભાગીદારી

Spread the love ભારતના સૌથી મહત્વાકાંક્ષી ઇવી મોબિલિટી પ્રોગ્રામને વેગ આપવા માટે એઆઈ-પાવર્ડ ઇન્ટેલિજન્સ, હાઇવે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *