નેસ્લે ઇન્ડિયા દ્વારા GST દર ઘટાડાના લાભો સીધા ગ્રાહકો સુધી પહોંચાડવાની જાહેરાત કરી

Spread the love

ગુજરાત, અમદાવાદ | 22 સપ્ટેમ્બર 2025: નેસ્લે ઇન્ડિયાએ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દરોમાં તાજેતરમાં થયેલા ફેરફારોનું સ્વાગત કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ લાભ 22 સપ્ટેમ્બર, 2025થી ગ્રાહકો સુધી સીધો પહોંચાડવામાં આવશે.

નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષ તિવારીએ જણાવ્યું હતું કે, “GST દરમાં ઘટાડો ભારતીય ગ્રાહકો માટે એક સકારાત્મક પગલું છે. આનાથી વપરાશ વધશે અને અર્થતંત્રને વેગ મળશે. નેસ્લે છેલ્લા 113 વર્ષથી ભારતનો અભિન્ન ભાગ રહ્યો છે, અને ગ્રાહકો હંમેશા અમારા માટે સર્વોચ્ચ મહત્વના રહ્યા છે. અમે અમારા ગ્રાહકોને સેવા આપવાનું અમારો મુખ્ય ઉદ્દેશ્ય માનીએ છીએ અને દરેક શક્ય રીતે તેમના શ્રેષ્ઠ હિતમાં કામ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.”

પારદર્શિતા જાળવવા માટે, નેસ્લે ઇન્ડિયાએ આ માહિતી રાષ્ટ્રીય અને પ્રાદેશિક અખબારોમાં શેર કરી છે. આ લાભો જથ્થાબંધ વેપારીઓ, વિતરકો અને છૂટક વેપારીઓને પણ પહોંચાડવામાં આવ્યા છે.


Spread the love

Check Also

પ્રોટીયન ઈ-ગવે સુરતમાં આધાર સેવા કેન્દ્ર ખોલ્યું

Spread the love સુરત, ગુજરાત | ૨૭મી એપ્રિલ ૨૦૨૬ — વસ્તી-સ્તરીય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *