વલસાડ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનેમોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬: વલસાડ નજીક કપરાડા તાલુકાના કુંભઘાટ પર એક કરુણ અકસ્માત સર્જાયો હતો જેમાં ૭ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ ૭ લોકોનાં મોત થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૦૫૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નવસારી સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.

અકસ્માતની બીજી ઘટના મહેસાણા જિલ્લાના ઉંઝા હાઈવે પર બની છે જેમાં રાજસ્થાનનો પરિવાર વિંખાઈ ગયો હતો જેમાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએરુપિયા ૧૫,૦૦૦ લેખે સહાયતા રાશિ અર્પણ કરી છે.

ત્રીજી ઘટનામાં કોડીનાર પંથકમાં આદપોકર ગામે કૂંડમાં ડૂબી જતાં માતા અને તેમના બે સંતાનોનાં મોત નિપજયા છે. તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી પૂજ્ય મોરારીબાપુએરુપિયા ૪૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. તમામ મૃતકોના નિર્વાણ માટે પૂ બાપુએ પ્રાર્થના કરી છે.


Spread the love

Check Also

સોમાની સિરામિક્સે નવી બ્રાન્ડ ઓળખ રજૂ કરી, જે વિકાસના આગામી તબક્કાને ચિહ્નિત કરે છે

Spread the love નવી દિલ્હી | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — સોમાની સિરામિક્સ લિમિટેડ, વિશ્વનો 12મો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *