જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના આયોજન હેઠળ આઠ ફેબ્રુઆરીએ 43મો જૈન સમૂહ લગ્નોત્સવ યોજાયો

Spread the love

અમદાવાદ | ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — સાયન્સ સિટી સર્કલ પાસેના સેવન સીઝ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ લગ્નોત્સવમાં 9 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા.

આયોજન અંગે શ્રી રાકેશભાઈ આર શાહ – ટ્રસ્ટી, જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ અને ચેરમેન,મેનેજીંગ ડિરેક્ટર, જીએસઇસી લિમિટેડ અને ચેરમેન,જૈન કલચરલ ગ્રુપ એ જણાવ્યું કે આનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સહાય પૂરી પાડવાનો તેમજ સમાજમાં સરળ, સદભાવપૂર્ણ અને ખર્ચાળ વિધિથી મુક્ત લગ્ન પ્રથાને પ્રોત્સાહન આપવાનો છે.લગ્નોત્સવમાં યુગલ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના જાન આગમનથી કન્યા વિદાય સુધી સંપૂર્ણ જૈન શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરાવાય છે. દરેક યુગલની અલાયદી ચોરી અને ગોર મહારાજની વ્યવસ્થા હોય છે. બંને પક્ષ અંગત સ્વજનોને લાવી શકે એ માટે કુલ 40 જેટલા ફ્રી પાસ પણ અપાય છે.

લગ્ન કચેરીમાં નોંધણી કરી શકાય એ માટે યુગલો પાસેથી આવશ્યક દસ્તાવેજો લઇ લગ્નનું પ્રમાણપત્ર મળે તેવું આયોજન કરવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં 900 જેટલાં યુગલનાં લગ્ન કરાવ્યાં છે. લગ્નોત્સવમાં માત્ર આર્થિક રીતે અસક્ષમ જ નહીં, શિક્ષિત અને સુધારાવાદી યુગલો પણ જોડાય છે. આ આયોજન સમાજના ઉદાર દાતાઓના આર્થિક યોગદાન અને સંસ્થાના કાર્યકારોના સહકારથી સફળતા પૂર્વક થાય છે. ઘણા કિસ્સામાં યુગલોનાં સ્વજનો પણ ફાળો આપતાં હોય છે.

આ પ્રસંગે સમાજના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી અને નવ યુગલોને આશીર્વાદ આપ્યા હતા.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *