
અમદાવાદ, ગુજરાત | ૧૮મી મે ૨૦૨૬ | પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ જગતગુરુ સ્વામી વિરભદ્ર નંદગિરી મહારાજ મામા સરકારના દિવ્ય આશીર્વાદ સાથે શ્રી મામાદેવ તપોભૂમિ તીર્થધામ, ભાયલા ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર હવન સંપન્ન થયો છે.
આ હવનમાં અખંડ સનાતન ધર્મની જનજાગૃતિ, ધર્મ સંરક્ષણ, રાષ્ટ્ર કલ્યાણ અને સર્વ ભક્તોના સુખ-સમૃદ્ધિ માટે દિવ્ય સંકલ્પ લેવામાં આવ્યો હતો. જેમાં પૂજ્ય મામા સરકારના કરકમલોથી પવિત્ર જળપાત્ર કુંભનું હવન દ્વારા જાગૃત કરવામાં આવ્યું, જે આ દિવ્ય યાત્રાની આધ્યાત્મિક શક્તિ અને પવિત્ર સંકલ્પનું પ્રતિક છે. તેમજ પૂજ્ય મામા સરકારના આશીર્વાદ સાથે આ પવિત્ર યાત્રાનો શુભ પ્રારંભ થયો અને હવે યાત્રા પવિત્ર બિંદુ સરોવર તરફ પ્રસ્થાન કરશે.
Aajna Samachar