
- અભ્યાસો સૂચવે છે કે GLP-1/GIP થેરાપી થકી શરીરના વજનમાં (કુલ વજન ઘટાડાના 25-40%) ઘટાડો થઈ શકે છે
- ઉપરાંત, ભારતીય દર્દીઓમાં પ્રોટીનનું પ્રમાણ ઘટવા, લોઅર બેઝલાઇન સ્નાયુની ઘટ્ટતાનું પ્રમાણ ઓછું થવા અને શરીરની ચરબીનું સ્તર ઊંચું જવાને કારણે જોખમ વધી શકે છે, જે સ્નાયુઓના સ્વાસ્થ્યને સક્રિય રીતે સુધારવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.
- ક્લિનિકલ માર્ગદર્શિકા અને નિષ્ણાતોની સર્વસંમતિ સ્નાયુના જથ્થાને જાળવવામાં મદદ કરવા માટે ઉપચાર દરમિયાન 1.2-1.5 ગ્રામ/ કિલો/ દિન પ્રોટીન સેવનની ભલામણ કરે છે, દવાની સાથે લક્ષિત પોષણની ભૂમિકાને મજબૂત બનાવે છે
- સેલેવિડા® GLP+ એ GLP-1/GIP થેરાપી લઈ રહેલા લોકો માટે પોષણનું અંતર ઘટાડવા અને સ્નાયુની જાળવણીને ટેકો આપવા કસ્ટમ ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેનાથી વધુ સારા મેટાબોલિક અને કાર્યાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે
હૈદ્રાબાદ, ભારત | ૦૮ મે ૨૦૨૬ | ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ (“Dr. Reddy’s”તરીકે ઓળખવામાં આવતી પોતાની પેટાકંપનીઓસહિતBSE: 500124, NSE: DRREDDY, NYSE: RDY, NSEIFSC: DRREDDY) અને નેસ્લે ઇન્ડિયા લિમિટેડ (BSE: 500790, NSE: NESTLEIND)જેને હવે પછીથી અહીં “Nestlé India”તરીકે ઓળખવામાં આવશે, વચ્ચેના સંયુક્ત સાહસ, ડૉ. રેડ્ડીઝ એન્ડ નેસ્લે હેલ્થ સાયન્સ લિમિટેડે, આજે ભારતમાં ટાઇપ 2ડાયાબિટીસ અને સ્થૂળતાના સંચાલન માટે GLP-1/GIPથેરાપી* લઈ રહેલા લોકો માટે મેટાબોલિક અને કાર્યાત્મક સ્વાસ્થ્ય ટકાવી રાખવા શ્રેષ્ઠ ન્યૂટ્રીશન સેવન અને સ્નાયુની ઘટ્ટતાની જાળવણીને ટેકો આપવા વૈજ્ઞાનિક રીતે રચાયેલી એક વિશિષ્ટ પ્રોડક્ટ, સેલેવિડા®GLP+ના લોન્ચની જાહેરાત કરી છે.
ટાઇપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતાના નિયંત્રણ માટે GLP-1/GIP-આધારિત ઉપચારોનો વ્યાપક ઉપયોગ વધી રહ્યો છે તથા દર્દીઓ માટે અદ્યતન સારવાર વિકલ્પો સુધીની પહોંચમાં સુધારો કરી રહ્યા છે, તેમ-તેમ દવા ઉપરાંત એક સંકલિત ઇકોસિસ્ટમ બનાવવી વધુને વધુ મહત્વપૂર્ણ બની છે. પોષણ, ક્લિનિકલ મોનિટરિંગ અને લાંબા ગાળાના દર્દી સપોર્ટને સમાવિષ્ટ કરીને, આ ઇકોસિસ્ટમ ટાઇપ 2 ડાયાબિટીસ અને સ્થૂળતાને નિયંત્રિત કરતા દર્દીઓ માટે સતત અને સર્વાંગી પરિણામો આણવા સક્ષમ બનવી જોઈએ. આ અભિગમનો એક મહત્વપૂર્ણ ભાગ આ ઉપચારો સાથે સંકળાયેલું પોષણયુક્ત અંતર અને સ્નાયુ સ્વાસ્થ્ય પડકારોને સંબોધિત કરવાનો છે જેથી એકંદર પરિણામોમાં સુધારો થાય.
ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ ખાતે ગ્લોબલ જેનેરિક્સ સીઇઓ અને ડૉ. રેડ્ડીઝ અને નેસ્લે હેલ્થ સાયન્સ લિમિટેડના ડિરેક્ટર એમ.વી. રમન્નાએ જણાવ્યું હતું કે, “GLP-1 ઉપચાર ડાયાબિટીસ અને સ્થૂળતાના નિયંત્રણમાં નોંધપાત્ર પ્રગતિને પ્રતિબિંબિત કરે છે. જો કે, ફાર્માકોલોજીકલ સારવાર ઉપરાંત ખાસ કરીને ઉપચાર દરમિયાન પોષણયુક્ત અંતરને સંબોધવા અને સ્નાયુઓના સ્વાસ્થ્યને જાળવવામાં દર્દીઓને ટેકો આપવાની એક સ્પષ્ટ અપૂર્ણ જરૂરિયાત રહેલી છે. દર્દીઓ શરીરરચનામાં ફેરફારો અનુભવે છે, તેથી પૂરતા પોષક તત્વોનું સેવન સુનિશ્ચિત કરવું અને દુર્બળ શરીરનું વજન જાળવી રાખવું લાંબા ગાળાના પરિણામોને ટકાવી રાખવા માટે મહત્વપૂર્ણ બની જાય છે. સેલેવિડા® GLP+ સાથે, અમે લક્ષિત, વિજ્ઞાન-સમર્થિત પોષણ ઉકેલ દ્વારા આ અંતરને દૂર કરવાનું લક્ષ્યાંક ધરાવીએ છીએ જે ફાર્માકોલોજીકલ ઉપચારોને પૂરક બનાવે છે અને તેમની રોજિંદી સફરમાં વધુ સારા એકંદર દર્દી પરિણામોને સમર્થન આપે છે. આ પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, સંકલિત, દર્દી-કેન્દ્રિત ઉકેલોને આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે મેટાબોલિક સ્વાસ્થ્યના વધુ ટકાઉ અને સર્વાંગી સંચાલનને સક્ષમ બનાવે છે.”
વરિષ્ઠ ભારતીય ચિકિત્સકોની આંતરદૃષ્ટિએ એક મહત્વપૂર્ણ અને ઘણીવાર ઓછા ઓળખાયેલ જોખમ પર પ્રકાશ પાડ્યો છે: GLP-1/GIP ઉપચાર દરમિયાન સ્નાયુઓનું ધોવાણ. અભ્યાસો સૂચવે છે કે GLP-1 અને ડ્યુઅલ GLP-1/GIP ઉપચાર સાથે સંકળાયેલા કુલ વજન ઘટાડાના 25-40% શરીરના વજનના ઘટાડાને આભારી હોઈ શકે છે (1,2). નિષ્ણાતોએ નોંધ્યું છે કે ભારતીયોમાં આ જોખમ સ્વાભાવિક રીતે ઓછા બેઝલાઇન કંકાલ સ્નાયુના સમૂહ અને શરીરમાં ચરબીના વધુ પડતા જથ્થાને કારણે વધી શકે છે, (3)જે લગભગ 0.6 ગ્રામ/ કિલો/ દિવસના લાંબા સમયથી ઓછા પ્રોટીનના સેવન દ્વારા વધુ જટિલ બની શકે છે (4). આનાથી બેવડી નબળાઈ સર્જાય છે, જે સ્નાયુઓનું સંરક્ષણ માત્ર મહત્વપૂર્ણ જ નહીં, પરંતુ લાંબા ગાળાના મેટાબોલિક સ્વાસ્થ્ય માટે આવશ્યક બનાવે છે.
ક્લિનિકલ અને નિષ્ણાતોની સર્વસંમતિ વજન ઘટાડા દરમિયાન સ્નાયુ સમૂહને જાળવવામાં મદદ કરવા માટે પ્રોટીનનું સેવન 1.2-1.5 ગ્રામ/કિલો/દિવસ સુધી વધારવાની ભલામણ કરે છે, જે કસ્ટમાઇઝ્ડ પોષણ સહાયની જરૂરિયાતને પ્રકાશિત કરે છે (5).
આ જરૂરિયાતને પૂર્ણ કરીને, સેલેવિડા® GLP+ને વૈજ્ઞાનિક રીતે ડિઝાઇન કરવા ઉપરાંત અને અગ્રણી એન્ડોક્રિનોલોજિસ્ટ અને ડાયાબિટીસ નિષ્ણાતોના સહયોગથી બનાવવામાં આવ્યું છે જેથી GLP-1/GIP થેરાપી લઈ રહેલી વ્યક્તિઓમાં પ્રોટીનની ત્રુટિઓને દૂર કરી શકાય અને સ્નાયુ સમૂહ અને કામગીરીને જાળવી શકાય છે. તે ફાસ્ટ-એબ્સોર્બિંગ વ્હી પ્રોટીન આઇસોલેટ (WPI)નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જે આંતરડા માટે નરમ હોવાનું જાણીતું છે અને સામાન્ય રીતે GLP-1/GIP થેરાપી સાથે સંકળાયેલી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ અસહિષ્ણુતાના સમયગાળા દરમિયાન યોગ્ય છે.Celevida® GLP+ પ્રતિ 100 ગ્રામ 48 ગ્રામ પ્રોટીન, બ્રાન્ચેડ-ચેઇન એમિનો એસિડ (BCAAs) ના 100% RDA (ભલામણ કરેલ ડાયેટરી એલાઉન્સ) સાથે પૂરું પાડે છે. તે વિટામિન A, D અને કેલ્શિયમ સહિત 27 આવશ્યક પોષક તત્વો પણ પૂરા પાડે છે. ડૉ. રેડ્ડીઝ અને નેસ્લે હેલ્થ સાયન્સ તેના સેલેવિડા® ડાયાબિટીસ ન્યુટ્રિશન દ્વારા ડાયાબિટીસ ધરાવતા લોકો માટે વિશિષ્ટ પોષણમાં સ્થાપિત હાજરી ધરાવે છે, જે વ્યાપક ડાયાબિટીસ વ્યવસ્થાપનને ટેકો આપવા માટે રચાયેલું છે. આ ફોર્મ્યુલેશને ક્લિનિકલી પૂરવાર કર્યું છે કે તે 24 કલાક સતત રક્ત ગ્લુકોઝ નિયંત્રણને ટેકો આપે છે અને HbA1c સ્તર ઘટાડે છે (6), અને તે નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સ (7) દ્વારા વર્ગીકૃત થયેલું છે, જે તેને લાંબા ગાળાના મેટાબોલિક વ્યવસ્થાપન માટે યોગ્ય બનાવે છે.
સેલેવિડા® GLP+350 ગ્રામના પેકમાં ફાર્મસી, રિટેલ આઉટલેટ્સ અને અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર
ઉપલબ્ધ છે.
Aajna Samachar