ગુજરાતની યુવા નૃત્યાંગના ચિ. અનેરીએ ભરતનાટ્યમ આરંગેત્રમ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૧૩મી મે ૨૦૨૬ | નૃત્યભારતી એકેડેમીના સંસ્થાપક કલાગુરુ શ્રીમતિ ઇલાક્ષીબેન ઠાકોરના આશીર્વાદથી અને ગુરુ શ્રી ચંદન ઠાકોર તથા શ્રીમતિ નિરાલી ઠાકોરના નિષ્ણાત માર્ગદર્શન હેઠળ, અમદાવાદના તબીબ દંપતિ ડૉ.વાચા શાહ અને ડૉ. કુંતલ શાહની સુપુત્રી, ચિ.અનેરીનું ભરતનાટ્યમ આરંગેત્રમ, ટાગોર હોલ, અમદાવાદ ખાતે તાજેતરમાં સંપન્ન થયેલ છે.

ઉદગમ સ્કુલની વિદ્યાર્થીની અનેરીએ ૧૩ વર્ષની નાની વયે આ સિધ્ધિ મેળવી આપણી પ્રાચિન નૃત્યકલાનો વારસો જાળવી ગુજરાતનું નામ પણ રોશન કરેલ છે. આવનાર વર્ષોમાં તેની આ નૃત્ય સાધના આગળ વધે તેવી શુભેચ્છા.


Spread the love

Check Also

અનીસ બઝ્મીના ડિરેકશનમાં ફરી હસાવશે અક્ષય કુમાર, ફેમિલી એન્ટરટેઇનરની રિલીઝ ડેટ જાહેર

Spread the love અમદાવાદ, ગુજરાત | ૧૩મી મે ૨૦૨૬ | છેલ્લે તમે ક્યારે થિયેટરમાં જઈને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *