
1000 કિલોમીટર દૂર ગુરુગ્રામથી સર્જને રોબોટિક સિસ્ટમનું સંચાલન કર્યું; અમદાવાદમાં દર્દી પર સફળ ઓપરેશન કરીને ભૌગોલિક સીમાઓ ઓળંગી
અમદાવાદ, ગુજરાત | ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ | તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવતા, શેલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાતની પ્રથમ ટેલી-રોબોટિક બેરિયાટ્રિક (મેટાબોલિક) સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. આ ઓપરેશનમાં નિષ્ણાત સર્જને લગભગ 1000 કિમી દૂર ગુરુગ્રામથી રોબોટિક સિસ્ટમ કન્ટ્રોલ કરી હતી, જ્યારે અમદાવાદમાં દર્દી પર સર્જરી કરવામાં આવી હતી.
આ સર્જરી શેલ્બી હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક, રોબોટિક અને બેરિયાટ્રિક સર્જન ડૉ. પરાગ પટેલ દ્વારા ગુરુગ્રામ સ્થિત SS ઈનોવેશન્સ સેન્ટરથી રિમોટલી કરવામાં આવી હતી. અમદાવાદ સ્થિત શેલ્બી હોસ્પિટલ (એસ.જી. હાઈવે) ખાતે ડૉ. સૌરભ દામાની (કન્સલ્ટન્ટ રોબોટિક એન્ડ લેપ્રોસ્કોપિક બેરિયાટ્રિક સર્જન) ના નેતૃત્વ હેઠળની સ્થાનિક ક્લિનિકલ ટીમ – જેમાં ડૉ. મોહસિના સૈયદ, હાર્દિક મકવાણા, હાર્દિક આચાર્ય તેમજ એનેસ્થેસિયા અને નર્સિંગ ટીમ સામેલ હતી – તેમણે આ સુચારુ સંકલન સુનિશ્ચિત કર્યું હતું.
ભારતમાં વિકસિત SSI Mantra 3, અદ્યતન રોબોટિક સર્જિકલ સિસ્ટમ દ્વારા આ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ ટેક્નોલોજીથી દર્દીએ મુસાફરી કર્યા વિના જ નિષ્ણાત સર્જનો દૂર બેઠા જટિલ ઓપરેશન કરી શકે છે, જેનાથી શેલ્બી હોસ્પિટલ્સના સમગ્ર ભારતના નેટવર્કમાં અત્યાધુનિક સર્જરીની પહોંચ વધુ સરળ બનશે.
આ સિદ્ધિમાં ગુજરાતના બે દર્દીઓનો સમાવેશ થાય છે, જેમની અમદાવાદની SG હાઈવે સ્થિત શેલ્બી હોસ્પિટલમાં ટેલિ-રોબોટિક બેરિયાટ્રિક સર્જરી કરવામાં આવી હતી.
પ્રથમ દર્દી: રાજકોટના 42 વર્ષીય મહિલા, જેમનું વજન 107.5 કિલો અને BMI 43.1 kg/m² હતું. તેઓ ક્લાસ III ઓબેસિટી (અતિશય મોટાપો) અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા (OSA) ની સમસ્યાથી પીડાતા હતા. તેમના શરીરમાં 42.5 કિલો વધારાનું વજન હતું. તેમની રોબોટિક સર્જિકલ ટેકનોલોજીની મદદથી ‘ટેલિ-રોબોટિક ગેસ્ટ્રિક બાયપાસ’ સર્જરી કરવામાં આવી.
બીજા દર્દી: વડોદરાના 53 વર્ષીય મહિલા, જેમનું વજન 107.2 કિલો અને BMI 48.3 kg/m² હતું. તેઓ ક્લાસ III (ગંભીર) મોટાપો અને ગ્રેડ II ફેટી લિવરની સમસ્યા ધરાવતા હતા. તેમના શરીરમાં 51.8 કિલો વધારાનું વજન હતું. તેમની રોબોટિક સર્જિકલ ટેકનોલોજી દ્વારા ‘ટેલિ-રોબોટિક SASJ-SOS MGB (મિની ગેસ્ટ્રિક બાયપાસ)’ સર્જરી કરવામાં આવી.
શરીરના વધારાના વજનના કારણે આ દર્દીઓને સીડી ચડવી જેવી રોજિંદી પ્રવૃત્તિઓ કરવામાં તકલીફ પડતી હતી. આ સર્જરીથી તેમનું વજન ઝડપથી અને લાંબા સમય સુધી ઘટશે, મોટાપાને લગતા સ્વાસ્થ્યના જોખમો અને મેટાબોલિક હેલ્થમાં સુધારો થશે, તેમજ સ્લીપ એપ્નિયા અને ગ્રેડ II ફેટી લિવર જેવી ગંભીર સમસ્યાઓમાં પણ રાહત મળશે.
રોબોટિક બેરિયાટ્રિક સર્જરી સર્જનોને HD 3D વિઝન, અને વધુ ચોકસાઈ પૂરી પાડે છે. આનાથી અતિશય મેદસ્વી દર્દીઓમાં ઓપરેશન વધુ સુરક્ષિત બને છે, દુખાવો અને ટિશ્યુ ડેમેજ ઘટે છે, અને રિકવરી ઝડપી થાય છે.
આ સિદ્ધિ એવા સમયે મળી છે જ્યારે ભારતમાં મેદસ્વિતા અને ડાયાબિટીસ વ્યાપક બની રહ્યા છે. ICMR-INDIAB અભ્યાસ (2023)[1,2] અનુસાર, ભારતમાં 10.1 કરોડથી વધુ લોકો ડાયાબિટીસ અને 13.6 કરોડ લોકો પ્રી-ડાયાબિટીસથી પીડાય છે. NFHS-6 ડેટા[3] અનુસાર, ગુજરાતમાં સ્થૂળતા અને તેનાથી સંબંધિત મેટાબોલિક રોગોનું વધતું ભારણ જોવા મળી રહ્યું છે, જેના કારણે ટાઇપ-2 ડાયાબિટીસ, હૃદયરોગ, ફેટી લિવર, ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા અને સ્થૂળતા સંબંધિત અન્ય જટિલતાઓનું જોખમ વધી રહ્યું છે.
ડૉ. પરાગ પટેલ, કન્સલ્ટન્ટ લેપ્રોસ્કોપિક, રોબોટિક અને બેરિયાટ્રિક સર્જન, શેલ્બી હોસ્પિટલ્સ: “મોટાપો એ માત્ર વજન વધવું નથી પણ એક ગંભીર મેટાબોલિક બીમારી છે. ટેલી-રોબોટિક બેરિયાટ્રિક સર્જરીથી ડાયાબિટીસ અને સ્લીપ એપનિયા જેવી બીમારીઓમાંથી રાહત મેળવીને દર્દીને એક નવું અને સ્વસ્થ જીવન આપી શકાય છે.”
શ્રી પરિમલ પટેલ (ક્લસ્ટર સીઓઓ, શેલ્બી હોસ્પિટલ્સ, અમદાવાદ): “આ સિદ્ધિ શેલ્બી હોસ્પિટલ્સની નવીનતમ તબીબી ટેક્નોલોજી ક્ષેત્રે કટિબદ્ધતા દર્શાવે છે. ગુજરાતની આ પ્રથમ ટેલી-રોબોટિક સર્જરી સાબિત કરે છે કે ટેક્નોલોજીના માધ્યમથી અંતરના બાધાઓ દૂર કરીને દર્દી સુધી શ્રેષ્ઠ સારવાર પહોંચાડી શકાય છે.”
Source
- https://www.thelancet.com/journals/landia/article/PIIS2213-8587(23)00119-5/fulltext
- https://sansad.in/getFile/annex/262/AU1864.pdf?source=pqars&utm_
== સમાપ્ત ==
Aajna Samachar