શહેરના હાર્દમાંથી નવા કોરિડોરમાં પ્રયાણ: વર્ષ 2026 વડોદરા શહેરને આપશે કેવો ઓપ

Spread the love

વડોદરા, ગુજરાત | ૧૦મી જાન્યુઆરી ૨૦૨૬ — વર્ષ 2025 દરમિયાન વડોદરાના રિયલ એસ્ટેટ માર્કેટમાં કોઈ નોંધપાત્ર માળખાકીય પરિવર્તનની નોંધ મુજબ હવે રહેઠાણની માંગ ધીમે ધીમે પરંપરાગત શહેરના મધ્ય ભાગને બદલે હાલમાં ઉભરતા આસપાસના વિસ્તારોમાં ફેલાવા પામી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માળખાગત સુવિધાઓના અમલીકરણથી શહેરના રહેણાંક વિસ્તારોનો ફેલાવો હવે એવી જગ્યાએ થવા પામ્યો છે જેની ગણના અગાઉ ખરીદદારો દૂરદરાજ અથવા અવિકસિત તરીકે કરતા હતા, તેને હવે પરવડી શકે એવા નજીકના સ્થળો તરીકે ઓળખવામાં આવે છે.

બિલ્ડર અને પ્રોજેક્ટ – વડોદરા રિયલ એસ્ટેટ માર્કેટ અપડેટ (એપ્રિલ-મે 2025)માં જણાવ્યા મુજબ છેલ્લા 24-36 મહિનામાં પસંદગીના વિકાસ કોરિડોરમાં જમીનના ભાવમાં 60-80%નો વધારો જોવા મળ્યો છે, જેના કારણે ભાવ ₹2,500-3,000 પ્રતિ ચોરસ ફૂટથી વધીને ₹4,500-5,000 પ્રતિ ચોરસ ફૂટ જેટલા થયા છે. આ વૃદ્ધિ પ્રતિબિંબિત કરે છે કે કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થનારા સુધારાને કારણે શહેરના મધ્યા ભાગને બદલે લોકેશનનું મૂલ્ય અન્યત્ર સ્થાનાંતરિત થયું છે.

વડોદરા આઉટર રિંગ રોડનો વિકાસ, દિલ્હી-મુંબઈ ઍક્સપ્રેસવેનો બહેતર ઍક્સેસ તેમજ મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર સાથેના જોડાણને કારણે મુસાફરીમાં થતી હાડમારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે, રહેણાંક વિસ્તારોની માંગ હવે માત્ર જૂના વિસ્તારો સુધી મર્યાદિત રહી નથી, ખરીદદારો હવે શહેરના મધ્ય ભાગમાં રહેવા કરતાં કનેક્ટિવિટીને વધુને વધુ પ્રાથમિકતા આપી રહ્યાં છે.

શહેરના મધ્ય ભાગથી દૂરના આ વિસ્તરણથી મોટા, બહેતર આયોજન ધરાવતા રહેણાંક સમુદાયોનો વિકાસ પણ શક્ય બન્યો છે જેમાં બહેતર સુવિધાઓ, ખુલ્લી જગ્યાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પહેલેથી હાજરી ધરાવતા લેઆઉટ—જે ગીચ શહેરની વચ્ચોવચ નિર્માણ કરવા ખરેખર દુષ્કર છે. ઘણા અંતિમ વપરાશકર્તાઓ માટે, આ બાબત સંપાદન ખર્ચમાં કોઈ અપ્રમાણસર વધારા વિના જીવન જીવવાની ગુણવત્તામાં અર્થપૂર્ણ અપગ્રેડને દર્શાવે છે.

2026માં નજર કરવા પર, આ કોરિડોર આધારિત વૃદ્ધિ વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે. વડોદરાની રિયલ એસ્ટેટ માર્કેટનું વિસ્તરણ મલ્ટી-નૉડલ શહેરી માળખામાં થઈ રહ્યું છે, જેમાં વૃદ્ધિ શહેરના મધ્ય ભાગમાં કેન્દ્રિત રહેવાને બદલે ચારેકોર ફેલાયેલી છે—જે લાંબા ગાળાના ટકાઉપણાને અને સંતુલિત ભાવના વિકાસને સપોર્ટ આપે છે.

==♦♦♦♦♦♦==


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *