રામચરિત માનસ “આનંદા વિશ્વ વિદ્યાલય છે – પૂજ્ય બાપુ

Spread the love

કથા સંવાદ ગુરુમુખી હોવો જોઇએ

મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર અપવિત્ર હોઇ શકે, આત્મા કદી અપવિત્ર ન હોઇ શકે

“માનસ નાલંદા યુનિવર્સિટી” શિર્ષક અંતર્ગત ગવાઇ રહેલી રામકથાના આજના ત્રીજા દિવસનાકથારંભે પૂજ્ય બાપુએ કહ્યું કે “વર્તમાન નાલંદાયુનિવર્સિટીનો પણ મહિમા છે. પરંતુ આપણે આપણા ભવ્ય અને દિવ્ય અતીતનું ગુણગાન કરવું જ જોઈએ. આજે લોકો યુનિવર્સિટીઓને” નાલંદા” અને” તક્ષશિલા” નામ આપે છે છે, પરંતુ પ્રાચીન નાલંદા યુનિવર્સિટીમાં જેટલા અભ્યાસક્રમો ભણાવવામાં આવતા હતા તેટલા આજે દુનિયાની કોઈ પણ યુનિવર્સિટીમાં ભણાવવામાં આવતા નથી! તે સમયે એક “લેવલ” હતું, આજે માત્ર “લેબલ” છે! વર્તમાન સમયની વિશ્વની કોઈ પણ યુનિવર્સિટીની તુલના આપણી પ્રાચીન નાલંદા અને તક્ષશિલા સાથે થઇ ન શકે. તે સમયમાં આ વિદ્યાપીઠોને કારણે, વિશ્વમાં ભારતની એક ઓળખ હતી – જ્ઞાનની ઓળખ, વિદ્વતાની ઓળખ!

જો આપણે તેને રાગ-દ્વેષથી મુક્ત મનથી જોઈએ, તો જ આપણે આપણા ભૂતકાળનીભવ્યતાનું મૂલ્યાંકન કરી શકીશું. જો મનમાં થોડો પણ રાગ કે દ્વેષ પ્રવેશ કરે તો મૂલ્યાંકન ધરાશાયી થઇ જાય છે.

પરમ પૂજ્ય વિષ્ણુ દેવાનંદગીરીદાદાજીને યાદ કરીને પૂજ્ય બાપુએ કહ્યું કે તેમણે કેટલાક અનોખાસૂત્રો આપ્યા છે.

તેમણે કહ્યું હતું કે-

“હું વિદ્વાન નથી કે હું મૂર્ખ નથી, કારણ કે વિદ્વતા અને મૂર્ખતા બુદ્ધિનો ધર્મ છે અને હું બુદ્ધિથી પર થઇ ગયો છું!”

“હું બાળક નથી, યુવાન નથી, વૃદ્ધ પણ નથી, કારણ કે આ બધાં શરીરનાં ગુણો છે અને હું શરીરથી પર થઇ ગયો છું.

“ના તો હું પુરુષ છું, ના તો હું સ્ત્રી છું, ના તો હું નપુંસક છું, કારણ કે આ ઇન્દ્રિયોના ગુણો છે અને હું એનાથી પર થઇ ગયો છું!”

એક પ્રશ્નના જવાબમાં પૂજ્ય બાપુએ કહ્યું કે શરીર અપવિત્ર થઈ શકે છે, મન, બુદ્ધિ અને હૃદય પણ અપવિત્ર થઈ શકે છે, અને અહંકાર તો હંમેશા અપવિત્ર જ હોય છે, પરંતુ આત્મા ક્યારેય અપવિત્ર થઈ શકતો નથી. બાપુએ કહ્યું કે આપણે વ્યાસપીઠને  “નાલંદા વિશ્વ વિદ્યાલય” નહીં કહીએ પણ આપણે તેને “આનંદ વિશ્વ વિદ્યાલય” કહી શકીએ. કારણ કે અહીં સદગુરુની કૃપાથી, કેવળ આનંદની વર્ષા થઇ રહી છે. કથામાં સત્ય છે – કથા સત્ય છે કારણ કે રામ સત્ય છે. વક્તા પોતાની માનસિક સ્થિતિને રાગ- દ્વેષથી મુક્ત રાખીને કથા કરે અને શ્રોતાઓ પણ એવી જ સ્થિતિમાં કથા સાંભળે, તો ચિત્ત શુદ્ધિ થાય છે. અહીં સત્ ની સાથે ચિત્ત પણ છે અને આનંદ પણ છે, તેથી કથા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે વ્યાસપીઠ “આનંદા વિશ્વ વિદ્યાલય” છે! શ્રોતાઓ “આનંદા વિશ્વ વિદ્યાલય” ના છાત્રો છે અને એના કુલપતિ પાસે ડીગ્રી નથી પણ એ (સહુના) જીગરી છે!

મહાપુરુષો જે અર્થછાયામાં સંવાદ કરે છે, તે સંવાદ “ગુરુમુખી”  હોવો જોઈએ, માત્ર “ગ્રંથમુખી” નહીં. સંવાદ સૂર્યમુખી હોવો જોઈએ કારણ કે જેમ સૂર્યના કારણે કમળ ખીલે છે, એમ કથાથી શ્રોતાનું હૃદય કમળ ખીલે છે. કથા સન્મુખી, ગુરુ-મુખી અને સૂર્ય-મુખી હોવી જોઈએ, મન મુખી ન હોવી જોઇએ.

એક પ્રશ્નના જવાબમાં પૂજ્ય બાપુએ કહ્યું કે શરીર અપવિત્ર હોઈ શકે છે, મન, બુદ્ધિ અને અંતરાત્મા પણ અપવિત્ર હોઈ શકે છે અને અહંકાર તો હંમેશા અપવિત્ર જ હોય છે. પણ આત્મા ક્યારેય અપવિત્ર ન હોઈ શકે. કોઈ કારણસર, આપણે આત્માને અપવિત્ર માની બેસીએ છીએ. વેદાંતમાં તેને “અધ્યાસ” કહેવામાં આવે છે. અધ્યાસ એટલે જે મૂળ રૂપે અસ્તિત્વમાં નથી, પરંતુ જેનું સ્વરૂપ અને ગુણો કોઈના સહવાસને કારણે બદલાઈ ગયા છે. એકવાર ચણાશેકાઈ ગયા પછી તે અંકુરિત થઈ શકતા નથી. બાપુએ અહીં એક અદ્ભુત વાત કરી, કે સંત શેકેલાચણા જેવા હોય છે, જેનામાં કામ, ક્રોધ,રાગ અને દ્વેષ ફરી ક્યારેય અંકુરિત થતા નથી!

બાપુએ કહ્યું કે આપણે વ્યાસપીઠને “નાલંદા વિશ્વ વિદ્યાલય” ન કહી શકીએ, પણ “આનંદા વિશ્વ વિદ્યાલય”

કહી શકીએ. કારણ કે સદ્ગુરુની કૃપાથી અહીં ફક્ત આનંદની વર્ષા થઈ રહી છે! કથામાં સત્ય છે – કથા સત્ય છે, કારણ કે રામ સત્ય છે. વક્તા પોતાનાં મનને રાગ- દ્વેષથી મુક્ત રાખીને કથા કરે છે અને શ્રોતાઓ પણ એવી જ મનોસ્થિતિઉવ સાથે કથા સાંભળે છે, તેથી કથામાં ચિત્ત શુદ્ધિ થાય છે. એટલે અહીં સત્ ની સાથે ચિત્ પણ છે અને આનંદ પણ છે, તેથી કથા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલા માટે રામ કથા “આનંદા વિશ્વ વિદ્યાલય” છે!

મહાપુરુષો સ્થળ, સમય અને પાત્ર જોઈને શાસ્ત્રોનો અર્થ પ્રગટ કરે છે. આવા સંવાદ ગુરુમુખી હોવા જોઈએ, ફક્ત ગ્રંથમુખી નહીં. સંવાદ સન્મુખી અને સૂર્યમુખી હોવા જોઈએ. જેમ સૂર્યનાંઉગતાની સાથે જ કમળ ખીલી ઉઠે છે, તેવી જ રીતે સદગુરુના શબ્દો સાંભળ્યા પછી શ્રોતાના મન રૂપી કમળ ખીલી ઉઠે છે. તેથી કથા સન્મુખ હોવી જોઈએ, ગુરુમુખ હોવી જોઈએ, સૂર્યમુખ હોવી જોઈએ. કથા કદી મનમુખ ન હોવી જોઈએ.

બાપુએ કહ્યું કે સામાન્ય રીતે વિદ્યાલયો ત્યાં સ્થિત હોય છે જ્યાં પર્વતો, પાણી, વૃક્ષો વગેરે હોય છે. અહીં બાપુએ પાણીની ત્રણ લાક્ષણિકતાઓ સમજાવી – સ્વચ્છતા, શીતળતા અને સ્વાદ.

જ્યાં આ ત્રણેય હોય ત્યાં વિદ્યાલય હોઈ શકે છે.

વૃક્ષ એટલે સંત. દરેક સંત એક વૃક્ષ છે! બુદ્ધ એક ચાલતું, ભિક્ષા માંગું, સંબોધી વૃક્ષ છે!

એક શ્રોતાએ પ્રાચીન નાલંદાયુનિવર્સિટીમાંભણાવવામાં આવતા બધા વિષયોની યાદી મોકલી હતી. બાપુએ તે વાંચીને  કહ્યું કે આધુનિક દુનિયામાં એવી કોઈ યુનિવર્સિટી નથી જ્યાં આટલા બધા વિષયોભણાવવામાં આવતા હોય!

દાદા ગુરુ ત્રિભુવન દાસજીને યાદ કરતાં પૂજ્ય બાપુએ કહ્યું કે દાદાજી તેમને વિશ્વના બાવીસ પર્વતોની મહત્તા સમજાવી હતી.

દાદાએ કહ્યું હતું કે હિમાલયમાં આવેલો કૈલાશ પર્વત ઋગ્વેદ છે, જ્યાં જ્ઞાનનો શાશ્વત અગ્નિ પ્રજ્વલિત છે. ગોવર્ધન પર્વત સામવેદ છે, કારણ કે કૃષ્ણએ કહ્યું હતું કે, “વેદોમાં હું સામવેદ છું.” દ્રોણાગિરિ યજુર્વેદ છે – ઔષધિનો વેદ, જે કાળને પણ  મુર્છાથી બહાર લાવી શકે છે! નીલગિરિ પર્વત એ અથર્વવેદ છે.  બાપુએ કહ્યું કે દાદાએ પ્રેમને પાંચમો વેદ ગણાવ્યો છે – ચિત્રકૂટ પાંચમો વેદ છે. અન્ય પર્વતોને પણ યાદ કરતા બાપુએ કહ્યું કે આ પર્વતો એવા છે કે તેને ખોદવાથી મળતા પ્રકાશથી વિશ્વને ઉજાસિત કરે છે.

પૂજ્ય બાપુએ ઓપરેશન સિંદૂરને યાદ કરીને આપણા રાષ્ટ્રના ગુપ્તચર વિભાગની પ્રશંસા કરી અને કહ્યું કે આપણે “આતંકિસ્તાન” ના અહંકારને તોડી નાખ્યો છે, પરંતુ તેઓ સ્વીકારી રહ્યા નથી! જો કોઈ “અહંકારી” માણસ સાચી વાત સ્વીકારે, તો તે અહંકારી મટીને “ૐકારી” બની જાય છે!

બાપુએ તેમની “આનંદા વિશ્વ વિદ્યાલય” વિશે કહ્યું કે બધા જ શ્રોતાઓ આ વિદ્યાલયના વિદ્યાર્થીઓ છે. અહીં સંખ્યાનું કોઈ મહત્વ નથી કારણ કે કથા ત્રણ શ્રોતાઓની સામે પણ ગવાયેલી છે. કાકભૂસન્ડીજીનીવિદ્યાપીઠમાં ફક્ત એક જ વિદ્યાર્થી- ગરુડજી- હતા. તેથી, સંખ્યાઓનો મહિમા હોવા છતાં, આનંદા વિદ્યાપીઠ માટે સંખ્યા મહત્વની નથી. “શિલકંઠ” નો અર્થ આપતાં બાપુએ કહ્યું કે કંઠનાં ત્રણ લક્ષણો છે – કંઠ પીવે છે, કઠમાં આભૂષણ હોય છે અને કંઠમાંથી અવાજ નીકળે છે. જે કંઠ હરિ રસ પીવે છે અને બીજાને પીવડાવે છે, જે કંઠ તુલસીની માળા કે તુલસીદાસજીની કથાથી શોભે છે અને જે કઠમાં હરિનું નામ છે, તે કંઠ “શીલકંઠ” છે.

શીલકંઠ સાધુ કોઈનું ગળું પકડતા નથી. તે પોતે અપમાન સહન કરે છે પણ જે વ્યક્તિ તેનું અપમાન કરે છે તેના માટે રાત્રે બે વાગ્યે માળા કરે છે.

બુદ્ધપુરુષ ગમે તે વ્યક્તિ માટે, ગમે ત્યારે, ગમે ત્યાં, એક મહા વિદ્યાલય છે.

એક પ્રશ્નના જવાબમાં બાપુએ કહ્યું કે સકારાત્મકતા હંમેશા નિર્દોષ હોય છે અને નકારાત્મકતા કઠોર હોય છે. નકારાત્મક બાબતોમાં તાકાત છે, સકારાત્મક બાબતોમાં નજાકત છે! આસુરી તત્વો ખૂબ જ કઠોર હોય છે. લાકડી સિતારને તોડી નાખે છે.

બાપુએ સૂત્રપાત કરતા જણાવ્યું કે “કથા સૂતેલાને બેઠા કરે છે, બેઠા થયેલાને ચલાવે છે અને ચાલતાનેમંજીલ સુધી પહોંચાડે છે.”

રામ કથાના વિષયમાં પ્રવેશતા, પૂજ્ય બાપુએ કથાનો ઇતિહાસ વર્ણવ્યો. વાલ્મીકિ આદિ કવિ છે અને શિવ અનાદિ કવિ છે. ભગવાન શિવેમાનસની રચના કરી અને તેને પોતાના હૃદયમાં રાખ્યું . સમય આવ્યે સૌ પ્રથમ કૈલાશ પર્વત પર પાર્વતીનેરામકથાસંભળાવી . પછી ભગવાન શિવે આ કથા કાગભૂસન્ડીજીને આપી. એમણે  નીલગિરિ પર્વત પર ગરુડજીને કથા સંભળાવી . કૈલાશ પર્વત પર બેઠેલા વક્તા શિવજી “નીલકંઠ” છે અને નીલગિરિ પર્વત પર કથા ગાનારાભૂસુંડીજી “શીલકંઠ” છે.

શિખર પરથી નીચે ઉતરતી રામ કથા રૂપી ગંગા સમગ્ર વિશ્વને પાવન કરવા માટે પ્રયાગમાં આવી અને યાજ્ઞવલ્ક્યજીએભારદ્વાજજીને કથા સંભળાવી. કથાના વક્તા યાજ્ઞવલ્ક્યજી “વિવેક કંઠ” છે.

ત્યારબાદ તુલસીદાસજીએ

“ગુરુ કંઠ” થી  કથા સાંભળી.

કથા વારંવાર સાંભળવી પડે છે, તો જ કેટલાક સિદ્ધાંતો આત્મસાત કરી શકાય છે. કથા છ વસ્તુ આપે છે – મંત્ર અને સૂત્ર, ગ્રંથ અને પંથ, કન્ત અને સંત. આ છ વસ્તુથી આપણામાં ભક્તિ ઉત્પન્ન થાય છે અને પછી આપણી સાત ગ્રંથિઓ તૂટી જાય છે.

પહેલી ગ્રંથિ છે મોહ. કામ, ક્રોધ અને લોભ એ ત્રણ ગ્રંથિઓ મોહ અંતર્ગત  આવે છે. ચોથી શિખા ગ્રંથિ, પાંચમી સૂત્ર ગ્રંથિ, છઠ્ઠી અવિદ્યા ગ્રંથિ અને સાતમી અધ્યાસ ગ્રંથિ છે.

ગુરુ પાસેથી વારંવાર કથા સાંભળ્યા પછી તેમના આત્મા સુધી કથા પહોંચી, ત્યારે તુલસીદાસજીએરામચરિતમાનસને શબ્દ દેહે રૂપાંતરિત કરીને  અયોધ્આમાં તેનું પ્રકાશન કર્યું.

“રામચરિત માનસ” એ રામના ચરિત્રનું માન સરોવર છે.  જેના ચાર ઘાટ છે – જ્ઞાન ઘાટ, ઉપાસના ઘાટ, કર્મ ઘાટ અને શરણાગતિનો ઘાટ.  હિમાલયનું માન સરોવર દુર્ગમ છે, આ માન સરોવર સુલભ છે. હિમાલયનામાનસરોવરમાં પવિત્ર જળ છે અને અહીં પવિત્ર વાણી છે. હિમાલયનું એ સ્થિર સરોવર છે, રામચરિત માનસ ગતિશીલ છે. હિમાલયના માન સરોવરમાં ડૂબી જઇ  શકાય પણ આ માનસરોવરમાંતરીને તેને પાર કરી શકાય છે.

પ્રયાગરાજના પવિત્ર સ્થળ કુંભ મેળામાં, મુનીભારદ્વાજજીની વિનંતીથી યાજ્ઞવલ્ક્યજીએ રામ કથાનું ગાન આરંભ્યુ અને શિવ કથા સુધી પહોંચ્યા ત્યારે પૂજ્ય બાપુએ આજની કથામાં પોતાની વાણીને વિરામ આપ્યો.

બોક્સ આઇટમ

——————–

બાપુ અને શ્રોતાઓ કથા રસમાં ડૂબેલા હતા, એ વખતે એક અજાણ્યો શ્રોતા વ્યાસપીઠ નજીક આવ્યો અને આરતી સમયે વગાડવા માટે રાખેલ ઘંટ વગાડ્યો. બાપુ ચોંકી ગયા અને જોયું  તો તે વ્યક્તિ હાથ જોડીને ઊભી હતી. બાપુએ તેની મજાક ન ઉડાવી  પણ તેના સાહસ બદલ પ્રસન્નતા દાખવીને તેને ફરીથી ઘંટ વગાડવા કહ્યું અને તેના ક્ષોભનેઆનંદમાંપરિવર્તિત કર્યો.

પટનાનાસત્યેન્દ્રપ્રકાશજીએચિટ્ઠીમોકલીને બાપુ સાથે ફોટો પડાવવાની ઇચ્છા વ્યક્ત કરી. ત્યારે બાપુએ તેને વ્યાસપીઠ પર બોલાવીને તે જ વખતે તેની સાથે ફોટો પડાવ્યો. સ્વાભાવિક જ તે ભાઇ ખુશ થયા. બાપુએ એમ પણ કહ્યું કે – “ક્યારેક એક ચિત્ર તમારું ભાગ્ય બની જાય છે!”

ખરેખર સંતની ગતિ અકળ હોય છે!


Spread the love

Check Also

રામને ભજતા ભજતા નિંદા અને પ્રશંસામાંથી બહાર નીકળજો- પૂજ્ય બાપુ

Spread the love સાધુ ક્યારેય કોઈના પાપ જોતા નથી. વાસનાનાં ચરણ પકડવાથી દુર્ગતિ થાય છે, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *