નેપાળ બસ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ — થોડા સમય પહેલાં નેપાળમાં એક બસ દુર્ધટનાનો ભોગ બની હતી. પ્રાપ્ત અખબારી યાદી મુજબ નેપાળમાં પોખરાથી કાઠમાંડુ તરફ જઈ રહેલી બસમાં ૪૪ યાત્રીઓ સવાર હતા. અચાનક જ આ બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ૨૦૦ ફીટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.

પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે નેપાળ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે. નેપાળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને સાથે રાખી આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *