મણીનગર ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમો

Spread the love

અમદાવાદ, ગુજરાત | ૨૦ માર્ચ ૨૦૨૬ — મણીનગર ચેટીચંદ કમિટી અને મમતા ફાઉન્ડેશન દ્વારા ચેટીચંદ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શોભાયાત્રા તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિંધિ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

20 માર્ચ 2026, શુક્રવારે બપોરે 3 કલાકે મણીનગર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજના સભ્યોએ ભાગ લીધો હતો અને પરંપરાગત વેશભૂષા, ભજન-કીર્તન અને સાંસ્કૃતિક ઝલકોથી સમગ્ર વિસ્તાર રંગીન બની ગયો હતો.

22 માર્ચ 2026, રવિવારે સાંજે 6 કલાકે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક નીલ રોકસ્ટાર દ્વારા મ્યુઝિકલ પાર્ટી રજૂ કરવામાં આવશે, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. આ ઉપરાંત પ્રતિભાશાળી કલાકારો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ થશે.

આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને મહાનુભાવો હાજરી આપશે તથા સિંધિ સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવશે. આયોજકો દ્વારા સૌને આ કાર્યક્રમમાં હાજરી આપવા અને મહોત્સવને સફળ બનાવવાની અપીલ કરવામાં આવી છે.


Spread the love

Check Also

છ મહિનાની ગર્ભવતી મહિલા, પછી થયો મોઢાના કેન્સરનો નિદાન… HCG કેન્સર સેન્ટર વડોદરાએ બચાવ્યા બે જીવ

Spread the loveવડોદરા, ગુજરાત | ૨૪મી જુલાઈ ૨૦૨૬ | ગર્ભાવસ્થા દરમિયાન કેન્સરનું નિદાન થવું અત્યંત …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *