AriaRo 4.0 એ AI, ઓટોમેશન અને સુરક્ષિત ટેકનોલોજીના ભવિષ્ય પર ફોકસ કરશે

Spread the love

ગાંધીનગર | ૧૮મી માર્ચ ૨૦૨૬ — કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (UIT) દ્વારા 18 થી 20 માર્ચ દરમિયાન યોજાનાર તેના મુખ્ય ત્રણ દિવસીય નેશનલ લેવલના ટેકનિકલ સિમ્પોઝિયમ AriaRo 4.0 નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇનોવેટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ભવિષ્યને શોધવા માટે એકસાથે લાવવામાં આવશે.

આ વર્ષની થીમ— “કન્વર્જ: સિક્યોર. ઇન્ટેલિજેન્ટ. કનેક્ટેડ.”—સાયબર સિક્યુરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને પરસ્પર જોડાયેલા સિસ્ટમોના સંગમને દર્શાવે છે, જે આવનારા ડિજિટલ ઇકોસિસ્ટમ્સને આકાર આપી રહ્યા છે. AriaRo 4.0 નો ઉદ્દેશ્ય AI અને મશીન લર્નિંગ દ્વારા ઇન્ટેલીજન્ટ ઇનોવેશનને આગળ વધારવાનો, પ્રાયોગિક જોડાણ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રને ઉદ્યોગ સાથે જોડવાનો અને IoT, ક્લાઉડ અને ઓટોમેશન ટેકનોલોજી દ્વારા કનેક્ટેડ ઇકોસિસ્ટમ્સને સક્ષમ બનાવવાનો છે.

ત્રણ દિવસીય સિમ્પોઝિયમમાં પ્રથમ દિવસે ‘AI, મશીન લર્નિંગ અને ઓટોમેશન’, બીજા દિવસે ‘ડેટા સાયન્સ અને એનાલિટિક્સ’ અને ત્રીજા દિવસે ‘કોમ્યુનિકેશન અને સાયબર ફોરેન્સિક ટેકનોલોજી’ પર કેન્દ્રિત રહેશે.

આ સિમ્પોઝિયમને વધુ ઊંડાણ આપવા માટે માનનીય અતિથિ અને વિશિષ્ટ વક્તાઓ તરીકે ડૉ. દીપક ગર્ગ, વાઇસ ચાન્સેલર, SR યુનિવર્સિટી અને ડિરેક્ટર, leadingindia.ai અને ડૉ. ગૌરવ હરિત, જનપેક્ટ ચેર પ્રોફેસર અને CSE, IIT જોધપુરના હેડ ઉપસ્થિત રહેશે.

18 માર્ચના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રનું પ્રારંભ KU એક્સટેન્ડેડ કેમ્પસના નેતાજી સુભાષ ચંદ્રબોઝ કન્વેન્શન હોલ ખાતે હાઈ-ઈમ્પેક્ટ પેનલ ચર્ચા સાથે થશે. ઇન્ડસ્ટ્રી એક્સપર્ટસ, વીમુક્તિ સોલ્યુશન્સના ફાઉન્ડર અને એમડી હાર્દિક સંઘવી, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના સિનિયર ટેક લીડર ભરત ઠકરાર અને ઇઇન્ફોચિપ્સના ટેકનિકલ મેનેજર સમીર ભટ્ટ, ઇમર્જિંગ ટ્રેન્ડ્સ પર આંતરદૃષ્ટિ શેર કરશે.

ડાયનામિક પ્લેટફોર્મ તરીકે સ્થિત AriaRo 4.0 અસરકારક પેનલ ચર્ચાઓ, વર્કશોપ્સ અને ચેલેન્જીસ દ્વારા ભાગ લેનારાઓને આવતીકાલની ટેકનોલોજી લેન્ડસ્કેપની માંગ માટે તૈયાર કરીને પરિવર્તનશીલ બદલાવ લાવવાનું વચન આપે છે. આ ઇવેન્ટ શૈક્ષણિક ક્ષેત્ર અને ઉદ્યોગ વચ્ચે અર્થપૂર્ણ સહયોગને પ્રોત્સાહન આપે છે અને ભવિષ્ય માટે તૈયાર પ્રતિભાને આકાર આપવા પર તેના પ્રભાવને વધારે છે.

ત્રણ દિવસીય સિમ્પોઝિયમ કર્ણાવતી યુનિવર્સિટીના નેતૃત્વને ભવિષ્ય માટે તૈયાર ટેકનોલોજીકલ શિક્ષણમાં આગળ ધપાવવા, આવનારા વર્ષો માટે નવીનતા અને સહયોગને પ્રેરણા આપવા માટે વધુ મજબૂત બનાવશે. કૃપા કરીને જોડાયેલ પોસ્ટર્સ અને બ્રોશર જુઓ, જેમાં કાર્યક્રમની વિગતવાર માહિતી આપવામાં આવી છે.


Spread the love

Check Also

આંતરરાષ્ટ્રીય જાવા યેઝદી દિવસની 24મી આવૃત્તિ, સમગ્ર ભારતમાં 7500+ રાઇડર્સે વૈશ્વિક ઉજવણીનું નેતૃત્ત્વ કર્યું

Spread the love બેંગલુરુ | ૧૩મી જુલાઈ ૨૦૨૬ | વિશ્વની સૌથી જૂની રાઇડર આધારિત મોટરસાઇકલની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *