જમ્મુ અને પુના ખાતે દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૭મી નવેમ્બર ૨૦૨૫ — જમ્મુમાં નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે બ્લાસ્ટ થયો હતો જેમાં ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. શ્રીનગરના નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે રાસાયણિક પદાર્થો ને ઝડપવામાં આવ્યા હતા અને તે પદાર્થની તપાસ કરવાની હતી. તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો જેમાં ૯પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૩૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.

બીજી તરફ પૂના ખાતે પૂના-બેંગલોર હાઈવે પર એક સાથે ૨૫ વાહનો અથડાયા હતા જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને પણ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ સૌના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


Spread the love

Check Also

EEPC ઇન્ડિયાએ અમદાવાદમાં ફાર્મા મશીનરી પર ઇન્ડસ્ટ્રી અવેરનેસ સેશનનું આયોજન કર્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૩ એપ્રિલ ૨૦૨૬ — વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના માર્ગદર્શન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *