દહેરાદૂન અને અન્યત્ર પુર તેમજ અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: ગત થોડા દિવસોથી ઉતરાખંડમાં અને અન્ય રાજ્યોમાં ભારે વરસાદને પગલે જાનમાલની બહુ મોટી ખુવારી થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ દરમિયાન ઉતરાખંડનાદહેરાદુન વિસ્તારમાં વાદળ ફાટવાથી પુર આવ્યું હતું અને તેમાં ૧૫ લોકોનાં કરુણ મોત નિપજયા છે તેમજ જાનમાલની ભારે નુકસાની થઈ છે. પૂજ્ય મોરારીબાપુએ આ ઘટનામાં માર્યાગયેલાઓનેશ્રધ્ધાંજલિપાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૨૫,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં જમા કરાવવામાં આવેલ છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવી છે.

તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં પણ અકસ્માતમાં પાંચ લોકોના મોત નિપજયા છે. તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૭૫,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.


Spread the love

Check Also

પ્રોટીયન ઈ-ગવે સુરતમાં આધાર સેવા કેન્દ્ર ખોલ્યું

Spread the love સુરત, ગુજરાત | ૨૭મી એપ્રિલ ૨૦૨૬ — વસ્તી-સ્તરીય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર (DPI) …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *