પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને પહોંચી શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૧મી સપ્ટેમ્બર ૨૦૨૫: ભારે વરસાદથી પૂરગ્રસ્ત પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે. રામકથાશ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાનિકો માટે આશીર્વાદરૂપ બન્યું છે.

શ્રી મોરારિબાપુ દ્વારા રામકથાના લગભગ તમામ ઉપક્રમો શાસ્ત્ર, સંસ્કૃતિ અને સમાજનાં ઉત્થાન માટે જ રહ્યાં છે. કોઈ પણ દુર્ઘટના હોય કે સહાયની અનિવાર્યતા ઊભી થાય ત્યારે શ્રી મોરારિબાપુની વ્યાસપીઠ હંમેશા પહેલ કરતી રહે છે. તાજેતરમાં ભારે વરસાદથીપૂરગ્રસ્ત રહેલાં પંજાબ ક્ષેત્રમાં અસરગ્રસ્તોને શ્રી મોરારિબાપુ પ્રેરિત રાહત સહાય પહોંચી રહી છે.

શ્રી ચિત્રકુટધામ તલગાજરડા દ્વારા પંજાબમાં આ વિષમ સ્થિતિમાં ફસાયેલાં પરિવારોને રાહત સામગ્રી અર્પણ થઈ રહી છે. આમ, રામકથાશ્રોતાઓ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાનાં મંત્ર મૂલ્યો સાથે ચાલતું સેવા કાર્ય સ્થાનિકો માટે આશીર્વાદરૂપ બન્યું છે.


Spread the love

Check Also

ટાટા મોટર્સ ફાઉન્ડેશનનો ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ગુજરાતમાં 19,000 લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યો છે

Spread the love સાણંદ અને ધોળકા બ્લોક્સમાં આજીવિકા અને મહત્ત્વપૂર્ણ સેવાઓ મજબૂત બનાવવા માટે સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *