મોરારી બાપુએ ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ કરી

Spread the love

ગુજરાત, અમદાવાદ 08 નવેમ્બર 2024: પરમ પૂજ્ય મોરારી બાપૂએ દેવભૂમિ તપોભૂમિ ઋષિકેશમાં તેમની રામકથા – માનસ બ્રહ્મવિચારના બીજા દિવસે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. પૂજ્ય બાપૂએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા વાયદાને યાદ કર્યો હતો. રામકથા દરમિયાન પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, “ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે જો હું પ્રેસિડેન્ટ બનીશ તો યુદ્ધ રોકાવી દઇશ. ટ્રમ્પ સાહેબ, તમારો વાદો નિભાવજો. મેં તમારું નિવેદન સાંભળ્યું છે અને મને સારું લાગ્યું. કોઇ વ્યક્તિ યુદ્ધ રોકવી દે તો કેટલું સારું.”


Spread the love

Check Also

ભારતમાં એસી સેગમેન્ટમાં ઉદ્યોગની વૃદ્ધિને સેમસંગે આંબી

Spread the love સેમસંગનાં એસીનું વેચાણમાં 19 નવાં એસી મોડેલો સાથે જાન્યુઆરી અને માર્ચ 2025 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *