
સુરત, ગુજરાત | ૧૭ જૂન ૨૦૨૬ | ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યાનું નોંધપાત્ર ભારણ છે, જેમાં મોંના કેન્સરની બીમારી રાજ્યમાં સૌથી મોટા જાહેરલક્ષી આરોગ્ય પડકારોમાંથી એક તરીકે ઉભરી આવી છે. કેન્સરના વધી રહેલા કેસોની સાથે, નિદાનમાં વિલંબ પણએક મોટો ચિંતાનો વિષય છે, જેના પરિણામે ઘણીવાર રોગ એડવાન્સ્ડ (આગળના) તબક્કામાં પહોંચી જાય છે અને સારવારના પરિણામો નબળા પડે છે. તેથી, જાગૃતિ, સ્ક્રીનિંગ (તપાસ)ની સુલભતા અને સમયસર સારવારમાં સુધારો કરવો એ જીવન ટકાવી રાખવાના દર અને જીવનની ગુણવત્તા માટેના મહત્વપૂર્ણ પાસા છે.
આરોગ્યસંભાળને લગતી વધી રહેલી જરૂરિયાતનો ઉકેલ લાવવા માટે, સુરતની કિરણ હોસ્પિટલ કેન્સરની સારવાર સેવાઓને સતત વધુ સુદૃઢ બનાવી રહી છે જેના માટે તેઓએથોસ, હેલ્સિઓનઅને ટ્રૂબીમસહિત સિમેન્સ હેલ્થાઇનર્સના કેન્સર સારવારવ્યવસાય‘વેરિયન’ના અદ્યતન ડાયગ્નોસ્ટિક્સ, બહુ-શાખાકીય સારવાર અભિગમો અને નેક્સ્ટ-જનરેશનના રેડિયેશન ઓન્કોલોજી ટેકનોલોજીનો ઉપયોગ કરે છે.
કિરણ હોસ્પિટલના CEO ડૉ. હર્ષદ જોશીએઇનોવેશન, કૌશલ્ય અને કરુણા દ્વારા સંચાલિત વ્યાપક આરોગ્યસંભાળ સંસ્થા કિરણ હોસ્પિટલ જે રીતે આગળ વધી છે તેના પર પ્રકાશ પાડ્યો હતો.તેમણે વિશ્વ કક્ષાની, દર્દી-કેન્દ્રિત આરોગ્યસંભાળ પૂરી પાડવાની સંસ્થાની પ્રતિબદ્ધતા વિશે પણ સમજાવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, “કિરણ હોસ્પિટલનો વ્યાપક કેન્સર કેર વિભાગ દરેક દર્દી માટે વ્યક્તિગત સારવાર યોજનાઓ પૂરી પાડવા માટે તબીબી, સર્જિકલ, રેડિયેશન, ન્યુક્લિયર ઓન્કોલોજી અને પેલિએટિવ મેડિસિનના નિષ્ણાતોને એકજૂથ કરે છે. બહુ-શાખાકીય ટ્યુમર બોર્ડ અભિગમ દ્વારા, નિષ્ણાતો સૌથી યોગ્ય સારવારનીરીત નક્કી કરવા માટે સહયોગ સાધે છે. હોસ્પિટલની ઓન્કોલોજી ક્ષમતાઓમાં આનુવંશિક પરામર્શ અને વારસાગત કેન્સરના જોખમનું મૂલ્યાંકન, આનુવંશિક દવા પરીક્ષણ, સ્કેલ્પ કૂલિંગ થેરાપી દ્વારા સમર્થિત અદ્યતન કીમોથેરાપી સેવાઓ, રોબોટિક સર્જરી, સેન્ટિનલ લિમ્ફ નોડ બાયોપ્સી, HIPEC અને અદ્યતન ન્યુક્લિયર દવા સેવાઓ પણ સામેલ છે, જેમાં સચોટ નિદાન અને સારવારના પ્લાનિંગ માટે હાઇ-ડોઝ ઉપચાર અને SPECT ઇમેજિંગનો સમાવેશ થાય છે.”
કિરણ હોસ્પિટલના CAO ડૉ. મુકેશ પટેલે સંસ્થાની અદ્યતન ક્ષમતાઓ અને સમગ્ર પ્રદેશમાં આરોગ્યસંભાળની સુલભતા સુધારવા પર તેમના દ્વારા નિરંતર આપવામાં આવતા ધ્યાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “કિરણ હોસ્પિટલમાં, અમે કેન્સરના નિવારણ, વહેલા નિદાન અને સમુદાયિક જાગૃતિ માટે એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે કેન્સરનીઅદ્યન સારવાર પૂરી પાડવાથી પણ આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએ. અત્યાધુનિક ટેકનોલોજી અને ક્લિનિકલ કૌશલ્યમાં રોકાણ કરવાની સાથે, અમે કેન્સર સંબંધિત જોખમી પરિબળો અને સમયસર સ્ક્રીનિંગના મહત્વ વિશે જાહેર સમજણમાંસુધારો કરવા માટે સક્રિયપણે કામ કરીએ છીએ. વિદ્યાર્થી આરોગ્યસંભાળ નોલેજ પ્રોગ્રામ જેવી પહેલ હાથ ધરીને, અમે શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં તમાકુના સેવન સંબંધિત જોખમો વિશે જાગૃતિ લાવીએ છીએ.” હોસ્પિટલ પોતાના મિશન હેલ્થકેર પ્રોગ્રામ હેઠળ કેન્સર-કેન્દ્રિત આરોગ્ય સ્ક્રીનિંગની પહેલ પણ કરે છે અને સર્વાઇકલ કેન્સર રસીકરણ તેમજ નિવારક સ્ક્રીનિંગ કાર્યક્રમોની સુલભતા સહિત સમર્પિત મહિલા આરોગ્ય પહેલ દ્વારા સ્તન અને સર્વાઇકલ કેન્સર વિશેની જાગૃતિને પ્રોત્સાહન આપે છે.”
કિરણ હોસ્પિટલના ઓન્કોલોજી સેવાઓ અને રિસર્ચ વિભાગના ડિરેક્ટર ડૉ. શાંતિ પ્રકાશ શ્રીવાસ્તવ,રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડૉ. પંકજ અગ્રવાલ,અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડૉ. સૌરભ સમદરિયા, કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ,રેડિયેશન ઓન્કોલોજિસ્ટ વિભાગના સલાહકારોએ સાથે મળીને કેન્સરની સારવારના પરિણામો સુધારવા માટે પ્રારંભિક નિદાન અને સારવારની એડવાન્સ્ડટેકનોલોજીની સુલભતાના વધી રહેલા મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું કે, કેન્સરના કેસોમાં વધારો થતો રહેતો હોવાથી ગુજરાતમાં ચોકસાઇ-સંચાલિત કેન્સરની સંભાળની સુલભતા વધારવી મહત્વપૂર્ણ છે જેથી દર્દીઓને ખાતરીપૂર્વક ઘરની નજીક સમયસર, ઉચ્ચ-ગુણવત્તાવાળી સારવાર મળે, તેમજ વધુ સારા ક્લિનિકલ પરિણામો પણ મળે. તેમણે વધુમાં ભારપૂર્વક કહ્યું હતું કે, રેડિયેશન ઓન્કોલોજીમાં થયેલી પ્રગતિ વધુ વ્યક્તિગત, સચોટ અને દર્દી-કેન્દ્રિત સારવાર અભિગમો શક્ય બની રહ્યા છે. કિરણ હોસ્પિટલેતેની ઓન્કોલોજી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટેએથોસ, હેલ્સિઓન અને ટ્રૂબીમસહિત અદ્યતન રેડિયેશન થેરાપી પ્લેટફોર્મને સંકલિત કર્યા છે. એથોસ એ ભારતમાં આપ્રકારનું પ્રથમ ઇન્સ્ટોલેશન છે, જે દૈનિક શરીરરચના અને ગાંઠના ફેરફારો પર આધારિત રેડિયેશન સારવાર યોજનાઓને અનુકૂલિત કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરતું હોવાથી ખૂબ જ વ્યક્તિગતધોરણે સારવાર આપી શકાય છે. હેલ્સિઓન દર્દીના આરામને વધારવા માટે રચાયેલી ઝડપી અને વધુ કાર્યક્ષમ સારવાર વર્કફ્લોનેસપોર્ટકરે છે, જ્યારે ટ્રૂબીમ વાસ્તવિક સમયમાં ટ્યુમરના ટ્રેકિંગ અને સબ-મિલિમીટર સુધીની ચોકસાઇ સાથે ઇમેજ-માર્ગદર્શિત સારવાર આપતું હોવાથી ગાંઠની આસપાસની સ્વસ્થ પેશીઓ સાથે સંપર્ક ઘટાડવામાં મદદ મળે છે અને સારવારના કારણે થતી આડઅસરોમાં ઘટાડો થાય છે.
કિરણ હોસ્પિટલતેના વ્યાપક અભિગમ અને અદ્યતન મેડિકલ ટેકનોલોજીમાંનિરંતર રોકાણ કરીનેકેન્સરના નિદાન, સારવાર અને લાંબા ગાળાની દર્દી સંભાળ માટે પ્રાદેશિક શ્રેષ્ઠતા કેન્દ્ર તરીકે સતત પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવે છે.
== સમાપ્ત ==
Aajna Samachar