
અમદાવાદ, ગુજરાત | ૦૫ જૂન ૨૦૨૬ | ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલજી અને પ્રખ્યાત અભિનેતા શ્રી મનોજ બાજપેયીજી વચ્ચે કર્મ, જીવનમૂલ્યો અને ભગવદ્ ગીતા ના શાશ્વત ઉપદેશો અંગે થયેલી અર્થસભર ચર્ચાનો સાક્ષી બનવાનો અવસર મળ્યો.
“કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન।”
અર્થાત્ – “તમારો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, તેના ફળ પર નહીં.”
અલગ-અલગ ક્ષેત્રોમાં કાર્યરત હોવા છતાં, બંને મહાનુભાવો કર્મયોગ અને નિઃસ્વાર્થ કર્તવ્યના સિદ્ધાંતોમાં અડગ વિશ્વાસ ધરાવે છે. આ કારણે તેમની વચ્ચે થયેલો આ સંવાદ અત્યંત પ્રેરણાદાયી, યાદગાર અને મૂલ્યવાન બની રહ્યો.
આ બે પ્રતિષ્ઠિત વ્યક્તિત્વો વચ્ચેની આ વિશિષ્ટ મુલાકાતનું આયોજન અને સંચાલન કરવાનો અવસર મળવો મારા માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે.
== સમાપ્ત ==
Aajna Samachar