148મી રથયાત્રા: વાસણાનો ત્રિવેદી પરિવાર બનશે મામેરાના યજમાન, 10 સોસાયટીઓ સાથે મળીને મામેરું ઉજવશે

Spread the love

કેવી રીતે ઉજવશે 4 દિવસીય ઉત્સવ:
⇒ સમગ્ર સોસાયટીને શણગાર કરવામાં આવશે
⇒ 4 દિવસ સુધી નિત્યક્રમ સોસાયટીમાં વિવિધ આયોજન
⇒ 24 જૂનના રોજ દિવસે ડાયરો થશે, જેમાં સંતો અને કલાકારો જોડાશે
⇒ 23 જૂનના રોજ ગરબાનું આયોજન
⇒ મામેરા દર્શન સમયે તમામ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા કરાઇ
⇒ વાસણાની 10 સોસાયટીને ઘરે ઘરે જાઈને આમંત્રણ અપાશે

ગુજરાત, અમદાવાદ ૦૬ મે ૨૦૨૫: 148મી જગન્નાઠ પ્રભુની રથયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે, ત્યારે આ વર્ષે 10 બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યજમાન બનવાનો અવસર મળ્યો છે. મામેરામાં આ વર્ષે કોઈ કચાસ ન થાય તે માટે સમગ્ર વાસણા વિસ્તારની 10થી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે.

વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર 27 જૂન રથયાત્રા પ્રભુની રથયાત્રા નીકળશે, ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે 1 મહિના અગાઉથી તૈયારી શરૂ કરવામાં આવી છે. આસપાસની 10 સોસાયટીએ એકત્રિત થઈને આ ઉત્સવની ઉજવણી કરીશું. મામેરું અને રથયાત્રા ભલે સરસપુર વિસ્તારમાં થાય છે, પરતું સમગ્ર વાસણા વિસ્તાર રથયાત્રા જેવી ઉજવણી કરવામાં આવશે. સોસાયટીના 500થી વધુ લોકો 4 દિવસના ઉત્સવમાં ઉજવણી કરશે. તમામ દિવસે સોસાયટીમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.


Spread the love

Check Also

કૉઈનસ્વિચ વધારાના ક્રિપ્ટો રિઝર્વ સાથે અમદાવાદમાં રોકાણકારોનો વિશ્વાસ મજબૂત બનાવ્યો

Spread the love 5મા રિઝર્વ પ્રમાણીતની પુષ્ટિ કરે છે કે કૉઇનસ્વિચ પાસે વપરાશકર્તાઓ કરતાં વધુ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *