મેઘાલયના ખાણ દુર્ધટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૬ — પ્રાપ્ત વિગતો અનુસાર બે દિવસ પહેલા દેશના પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં એક ખાણમાં બ્લાસ્ટ થયો હતો જેમાં ૧૮ લોકોનાં મોત નિપજયા હતા. જૈનીતીયા વિસ્તારમાં આવેલી એક કોલસાની ખાણમાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ દુઃખદ ઘટના બની તેમાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૨,૭૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા વરુણ મોદી દ્વારા મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી રાહત ફંડમાં પહોંચાડવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.

≡≡≡ ≡≡≡ ≡≡≡ ≡≡≡


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *