
બગસરા, અમરેલી | ૯ માર્ચ ૨૦૨૬ — પરમ પૂજ્ય મોરારી બાપૂએ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા બદલ ભારતીય ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. આ પ્રસંગે પૂજ્ય બાપૂએ જણાવ્યું હતું કે, જે રીતે ભારતીય ક્રિકેટે ભારતનું ગૌરવ વધાર્યું તેને જોતાં હું ટીમના કોચ, કેપ્ટન, યુવા સાથીઓ અને સમગ્ર ક્રિકેટ જગતે વ્યાસપીઠ ઉપરથી બધાઇ આપું છું. કોણ હાર્યું, કોણ જીત્યું તેની નોંધ વ્યાસપીઠ લેતી નથી, પણ ક્રિકેટ જીત્યું છે, તે ચોક્કસ છે. કોઇએ નિરાશ થવાની જરૂર નથી. ભારતીય હોવા તરીકે આપણને આનંદ થાય.
Aajna Samachar