બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખોઃ પૂજ્ય મોરારી બાપૂ

Spread the love

કબીરવડ, ભરૂચ 09મી જાન્યુઆરી 2025: પરમ પૂજ્ય મોરારી બાપૂએ ભરૂચ પાસે કબીરવડમાં આયોજિત રામકથા – માનસ કબીર વેદના પાંચમાં દિવસે ઉપસ્થિતિ શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે, તમારા બાળકોના સ્કૂલબેગમાં રામાયણ અને ગીતા રાખજો. આ આપણા સમૃદ્ધ ઇતિહાસ અને વારસો છે. આપણા પાઠ્યપુસ્તકોમાં આવું કંઇ આવવા દીધું નથી, પરંતુ હવે થોડું-થોડું સારું થતું જાય છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ કોઇ એક ધર્મના ગ્રંથો નથી, પરંતુ તે ભારતની આંખો છે. આપણા દેશના નેત્રો છે, જેનાથી આપણે સમગ્ર વિશ્વને જોઇએ છીએ. નેત્રની વાત કરવી એ બીજા કોઇ ધર્મની નિંદા નથી. કોઇને તકલીફ ન થતી હોય તો આમ કરવું જોઇએ. બાળકો જ્યારે આ નેત્રોથી વિશ્વને જોશે ત્યારે આ વિશ્વમાં કોઇ તકરાર નહીં હોય, કોઇ યુદ્ધ નહીં હોય, કોઇ વિભાજન નહીં હોય.


Spread the love

Check Also

રોટરી કલબ ઓફ અમદાવાદ સ્કાઇલાઇનનું ‘સ્કાઇલાઇન છાસ’ સેવા પ્રોજેક્ટ પૂર્ણ

Spread the loveસીજી રોડ પર ૩૦ દિવસમાં ૭૫,૦૦૦થી વધુ છાસના ગ્લાસ વિતરણ ગુજરાત, અમદાવાદ ૦૨ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *