Ride to Rise: HCG Hospitals, Rajkot દ્વારા બ્રેકફાસ્ટ બાઇક રેલી મારફતે કેન્સર જાગૃતિ અભિયાન

Spread the love

રાજકોટ | ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — “કેન્સર-મુક્ત ભારત” અને “કેન્સર-મુક્ત રાજકોટ”ના દ્રઢ સંકલ્પ સાથે HCG Hospitals, Rajkot દ્વારા “Ride to Rise: Fighting Cancer Together” નામની અનોખી સમુદાય જાગૃતિ પહેલ હાથ ધરવામાં આવી. બ્રેકફાસ્ટ બાઇક રેલી સ્વરૂપે યોજાયેલા આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી, વહેલી તકે નિદાન (Early Detection), પ્રિવેન્ટિવ હેલ્થકેર અને સમયસર સારવાર અંગે જનજાગૃતિ લાવવાનો હતો.

આ રેલીનો પ્રારંભ સવારે 7:00 વાગ્યે HCG Hospitals, રાજકોટથી કરવામાં આવ્યો. વરિષ્ઠ કેન્સર નિષ્ણાતો ડૉ. મોનીલ પરસાણા, ડૉ. મિતેશ ખુંટ, ડૉ. સાર્થક મહાંતિ અને ડૉ. શ્વેતા તિલારા દ્વારા રેલીને ફ્લેગ ઓફ આપવામાં આવી, જે તબીબી વર્ગની સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. રેલીનું સમાપન Cha Vala – The Drive In Café ખાતે થયું, જ્યાં ભાગ લેનારોએ બ્રેકફાસ્ટ સાથે ચર્ચાસત્રમાં ભાગ લીધો.

આ પહેલ અંગે COO ડૉ. સુરજ નાથએ જણાવ્યું કે, “HCG Hospitals, રાજકોટ ખાતે કેન્સર સામેની અમારી લડત માત્ર સારવાર પૂરતી સીમિત નથી. ‘Ride to Rise’ જેવી પહેલો દ્વારા અમે જાગૃતિને હોસ્પિટલની દિવાલોથી બહાર સમુદાય સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ છીએ—કારણ કે વહેલી તકે નિદાન, સમયસર પગલા અને યોગ્ય માહિતી જીવ બચાવી શકે છે. કેન્સર વિશે જાગૃત સમાજ નિર્માણ અમારી દૈનિક જવાબદારી છે.”

આ પહેલનો મુખ્ય હેતુ કેન્સર અંગે અર્થપૂર્ણ જાહેર સંવાદ શરૂ કરવાનો હતો, જેથી લોકો વહેલી તકે લક્ષણો ઓળખી સારવાર લેવાની દિશામાં આગળ વધે. ડૉક્ટરોએ જણાવ્યું કે ભારતના સંદર્ભમાં કેન્સર સામેની લડતમાં ભય, ગેરસમજ અને મોડું તબીબી માર્ગદર્શન લેવાની વૃત્તિ મોટો પડકાર છે. તેમણે નાગરિકોને નિયમિત સ્ક્રીનિંગ, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો વિલંબ વિના ડૉક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપી.

આ કાર્યક્રમને વધુ જીવંત બનાવવા અને યુવાનો સુધી સંદેશ પહોંચાડવા લોકપ્રિય રેડિયો હોસ્ટ RJ ઇશિતા અને RJ જય પણ જોડાયા હતા, જેમણે ઉપસ્થિત લોકોને જાગૃતિ સંદેશ સાથે સંવાદિત કર્યા.

કાર્યક્રમનો અંત અનૌપચારિક બ્રેકફાસ્ટ ઇન્ટરૅક્શન સાથે થયો, જ્યાં પ્રિવેન્શન, આશા, સર્વાઇવરશિપ અને “કેન્સર-મુક્ત રાજકોટ”ના સામૂહિક સપનાને લઈને ચર્ચા થઈ.

“Ride to Rise” જેવી પહેલો દ્વારા HCG Hospitals, રાજકોટ સારવારની બહાર જઈ સમુદાય સાથે સક્રિય રીતે જોડાઈ રહ્યું છે—જાગૃતિ ફેલાવી, કલંક તોડીને અને જાણકારી તથા સમયસર પગલાં દ્વારા કેન્સર-મુક્ત ભારતના મિશનને આગળ ધપાવી રહ્યું છે.

≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡ ≡≡≡≡


Spread the love

Check Also

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

Spread the love ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે. પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *