એલેક્ષા પ્રોપર્ટી હબ દ્વારા ડભોડા હનુમાન મંદિરે શરબતનું વિતરણ

Spread the love

ગુજરાત, અમદાવાદ ૧૨ એપ્રિલ ૨૦૨૫: ગતરોજ હનુમાન જન્મ મહોત્સવ નિમિતે અલગ અલગ જગ્યા એ અલગ અલગ દાતાઓ દ્વારા છાસ, શરબત, પાણી, ખીચડી -કઢીનું મફત વેચાણ કરવામાં આવેલુ હતું. જેમાં અમદાવાદના નરોડામાં આવેલ એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબ તરફથી ડભોડા હનુમાન મંદિર ખાતે મફત શરબતનું વિતરણ રાખવામાં આવેલું હતું.

એલેક્ષા પ્રોપર્ટી હબના સંકેત ત્રિવેદીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા એક 1 વર્ષથી સેવાના ભાગ રૂપે અલગ અલગ સેવાના કામ કરતા રહેતા હોય છે. જેમકે ગરીબોને જમાડવું, ગરીબોમાં કપડાનું વિતરણ કરવું, શિયાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઓઢવાનું તેમજ પાથરવાનું આપવું વગેરે જેવા સેવાના કાર્યો કરતા રહે છે.

આજે એલેક્ષા ફાઉન્ડેશન અને એલેક્ષા પ્રોપર્ટી હબની ટીમ તરફથી ડભોડા ગામે હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે મફત શરબતનું આયોજન કરવામાં આવેલું હતું. જેમાં ડભોડા હનુમાન મંદિરે દર્શનાથે આવેલા ભાવિક ભક્તોએ ગરમીમાં આ શરબતનો લાભ લીધો હતો.


Spread the love

Check Also

IJR 2025 અનુસાર ગુજરાતમાં HC ન્યાયાધીશ અને HC કર્મચારીઓની સૌથી વધુ ખાલી જગ્યા

Spread the loveકેટલાક પ્રોત્સાહક સુધારાઓ: SC અધિકારીઓ અને કોન્સ્ટેબલરીમાંSCક્વોટાને પરિપૂર્ણ કરે છે ન્યાયાધીશોમાંસુધારલે જાતિ વૈવિધ્યતા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *