ભારતમાં લગભગ અડધા B2B માર્કેટર્સ કહે છે કે તેમને દર મહિને C સ્યુટ માટે માર્કેટિંગ ખર્ચને વાજબી ઠેરવવો પડે છે મોટાભાગના B2B માર્કેટર્સ કહે છે કે મૂલ્ય મેટ્રિક્સ ઝુંબેશની સફળતાના મજબૂત સૂચક છે 10 માંથી 9 થી વધુ B2B માર્કેટર્સ સંમત થાય છે કે ઝુંબેશ બનાવવા અને ઑપ્ટિમાઇઝ કરવા માટે AI નો ઉપયોગ કરતી વખતે તેઓ સુધારેલ ROI જોઈ રહ્યા …
Read More »ગુજરાત
ભારતની પ્રાઇમ ફોકસ જનરેટિવ AI, કન્ટેન્ટ સર્જનના ભવિષ્યને સશક્ત બનાવવામાં વૈશ્વિક સ્તરે આગેવાની લે છે
પ્રાઇમ ફોકસ લિમીટેડની પેટાકંપની DNEG’s બ્રહ્માએ મેટાફિઝીકનું સંપાદન કર્યુ હોવાની ઘોષણા કરી DNEG ગ્રુપનો ભાગ એવી બ્રહ્મા વીડિયો, ઇમેજ અને ઓડીયો જેવી પ્રોડક્ટ્સમાં Ai-નેટીવનો વ્યાપક સમૂહ વિકસાવી રહી છે. મેટાફિઝીક એ જનરેટીવ AI ટેકનોલોજીઝની અગ્રણી ડેવલપર છે જેથી મોટા પાયે ફોટોરિયાલિસ્ટીક કન્ટેન્ટનું સર્જન કરી શકાય, જે હોલિવુડ ફિલ્મ્સ અને હાઇ-પ્રોફાઇલ લાઇવ મનોરંજનમાં પોતાના કાર્ય માટે જાણીતી છે. મેટીફિઝીકનું સંપાદન નમિત …
Read More »નારાયણ સેવા સંસ્થાન દ્વારા સુરતમાં 23મી ફેબ્રુઆરીએ દિવ્યાંગો માટે મફત નારાયણ લિંબ અને કેલિપર કેમ્પનું આયોજન
સુરત ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫: રાજસ્થાનની પ્રતિષ્ઠિત અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન, શ્રી શાંતાબેન તૃભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને ગુજરાતના દિવ્યાંગજનોના કલ્યાણ માટે વિશાળ મફત કેમ્પનું આયોજન કરી રહી છે. આ કેમ્પ રવિવાર, 23મી ફેબ્રુઆરીએ સુરતના અલથાણ-ભટાર કોમ્યુનિટી હોલ, સોહમ સર્કલ નજીક યોજાશે. નારાયણ સેવા સંસ્થાનના મીડિયા અને જનસંપર્ક નિર્દેશક, ભગવાન પ્રસાદ ગૌડ, …
Read More »કુંભ ક્ષેત્રમાં અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને સહાય
ગુજરાત, અમદાવાદ ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૫:પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલાં છતીસગઢનાં ૧૦ લોકો કુંભમાં સ્નાન કરવા નીકળ્યા હતા ત્યારે તેમની બોલેરો જીપ બસ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ૧૦ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. છત્તીસગઢના કોરબા જીલ્લાના ૧૦ લોકો કુંભમાં સ્નાન કરવા નીકળ્યા હતા ત્યારે મિરઝાપુર પ્રયાગરાજ હાઇવે પર ડ્રાઈવરે કાબૂ ગુમાવતા સામેથી આવતી બસ સાથે બોલેરો ગાડી અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં …
Read More »આજે જગતને જે શાસ્ત્રની જરૂર છે-એ રામચરિતમાનસ છે.
જે એકરસ અને અખંડ છે એ ઇશ્વર છે. પુરુષની કસોટી છે ચાર રીતે થાય છે:ત્યાગેન,શીલેન,ગુણેન,કર્મણા.. શીલવાન કોઈ દિવસ સ્પર્ધામાં ન પડે. “ક્યારેક સાગરપેટા માણસની અંદર પણ સિંહકા રૂપી ઈર્ષા નીકળતી જોયેલી છે” ભાવ જગતમાં દ્વૈત જરૂરી છે. ઈશ્વરનું જ્ઞાન એકરસ હોય છે. રામચરિતમાનસ સૂત્રાત્મક,સત્યાત્મક,મંત્રાત્મક ગ્રંથ છે. માનસનો ખૂબ પાઠ કરજો,પાઠ પાકશે ત્યારે એના રહસ્ય ઉદઘાટન કરવા કોઈ મહાપુરુષ આપને મળી રહેશે. યજ્ઞ બલિદાન માટે હોય બદલા માટે ન હોય. કોટેશ્વર મહાદેવ,ત્રિકમરાયજી,કમલા માતાજી અને ઝૂલેલાલની ભૂમિને પ્રણામ કરીને પાંચમા દિવસની કથામાં બે ચાવીરૂપ પંક્તિઓનો અર્થ સમજાવતા બાપુએ કહ્યું કે:બધાનું જ્ઞાન જો એકરસ-અખંડ રહે તો પછી ઈશ્વર અને જીવમાં ભેદ રહેતો નથી.ઈશ્વરનું જ્ઞાન એકરસ હોય છે.રસ ભક્તિ પ્રધાન શબ્દ છે અને અખંડ-જ્ઞાન પરખ શબ્દ છે.આપણે જીવ છીએ પણ એના અંશ તો છીએ જ.અમુક સંતો કહે છે કે જીવાત્મા ક્યારેય પરમાત્મા ન થઈ શકે.પણ અદ્વૈત સિદ્ધાંતમાં જગતગુરુ શંકરાચાર્યજી એમ કહે છે કે જીવ પણ શિવ થઇ શકે.વૈષ્ણવ પરંપરામાં એવી માન્યતા છે કે જીવ ઈશ્વર ન થઈ શકે.આથી જ રામાયણનાં અરણ્યકાંડમાં લક્ષ્મણ જીવ અને ઈશ્વર વચ્ચેનો ભેદ પૂછે છે.શંકર પરંપરા બંનેને એક કરે છે. ભાવ જગતમાં દ્વૈત જરૂરી છે.ગુરુ એ ગુરુ છે અને શિષ્ય એ શિષ્ય છે.પત્ની પતિને એમ કહે કે આપણે અદ્વૈત છીએ તમે વાસણ ધોઈ નાંખો!-એ વ્યવહારુ નથી.જોકે તોરલના કપડાં ધોવા જેસલ ભર બજારે નીકળ્યો છે એ એની કસોટી છે. ભક્તિમાં ચાર પ્રકારે પુરુષની પરીક્ષા ગણાય છે.જેમ સોનાની ચાર કસોટી હોય એમ પુરુષની ચાર કસોટી છે:ત્યાગેન,શીલેન,ગુણેન,કર્મણા.. આપણે ઈશ્વરના માર્ગે છીએ કે કેમ એ ચકાસવા પરીક્ષા છે.સોનાની પરીક્ષા ચાર રીતે થાય છે: ઘર્ષણથી એટલે કે કસોટીના પથ્થર સાથે ઘસવામાં આવે,એનું છેદન કરીને,એને તપાવીને અને એને ટીપીને પરીક્ષણ કરવામાં આવે છે. સુંદરકાંડમાં હનુમાનજી સીતા ખોજ માટે જાય છે રસ્તામાં એ ચારેય પરીક્ષા આપે છે કારણ કે હનુમાનજી સોનારૂપ છે. જેવા સમુદ્ર લાંઘવા ઉડાન ભરે છે કે મૈનાક પર્વત બહાર નીકળે છે.પુરાણોમાં લખેલું છે-પર્વતો પહેલા ઊડતા હતા,પર્વતોને પાંખો હતી.પણ ગમે ત્યાં એ વિશ્રામ માટે બેસતા અને લોકોને નુકસાન થતું, અભિમાની બની ગયા,આથી ઇન્દ્રએ પર્વતોની પાંખો કાપી છે.એ વખતે મૈનાક પર્વત સમુદ્ર પાસે ગયો,એનું શરણ માંગ્યું અને સમુદ્રના તળિયે છુપાયો જેથી એની પાંખો કપાઇ નથી.મૈનાક હિમાલયનો પુત્ર છે, એની માતાનું નામ મૈના છે એટલે પાર્વતીનો ભાઈ પણ કહી શકાય.એ વખતે સમુદ્રએ કહ્યું કે જ્યારે હનુમાનજી નીકળે ત્યારે એને વિશ્રામ આપજે તો ઋણ મુક્ત થઈ શકીશ.મૈનાક નીકળે છે પણ હનુમાનજી એને સ્પર્શ કરે છે અને સોનાનો ત્યાગ કરે છે.બીજી સુરસા નીકળે છે,પોતાનું કદ વધારતી જાય છે ત્યારે હનુમાનજી પોતાના શીલથી અતિશય નાના બનીને ત્યાંથી નીકળી જાય છે.શીલવાન કોઈ દિવસ સ્પર્ધામાં ન પડે. સનાતન ગોસ્વામી અને જીવ ગોસ્વામી વિશેની વાત કરતા જણાવ્યું કે કાશીના દિગ્ગજ પંડિત સનાતન ગોસ્વામીને શાસ્ત્રાર્થ કરવા માટે પડકાર કરે છે.એ વખતે સનાતન ગોસ્વામી પહેલેથી જ એમ કહે છે કે હું લખી આપું છું કે હું શાસ્ત્રાર્થમાં હારી ગયો છું.એ લઈને પંડિત અભિમાનથી આગળ વધે છે એ વખતે જીવ ગોસ્વામી મળે છે,કાશીના પંડિતને હરાવવા માટે શાસ્ત્રાર્થ કરે છે અને પંડિત હારે છે.જીવ ગોસ્વામી લખાવી લે છે અને લખાણ લઈને સનાતન ગોસ્વામી પાસે આવે છે ત્યારે સનાતન કહે છે કે એક વર્ષ સુધી મને મોઢું ન બતાવતો! કારણ કે શીલવાન કોઈ દિવસ સ્પર્ધામાં ઉતરતો નથી,હું હારવા માટે જ સાધુ થયો છું.સિંહિકા નામની નિશિચરી પડછાયાને પકડે છે.સિંહિકા રાહુની માતા છે,પડછાયા પકડે છે અને એ વખતે લંકીની સામે પોતાના ગુણથી જીતે છે સ્થિરમતિ રહે એ ગુણ છે.એ ગુણ દ્વારા હનુમાનજી જીતે છે. બાપુએ કહ્યું કે ક્યારેક સાગર પેટા માણસની અંદર પણ સિંહકા રૂપી ઈર્ષા નીકળતી જોયેલી છે.લંકીની સામે કર્મથી જીત્યા. રામચરિતમાનસ સૂત્રાત્મક,સત્યાત્મક,મંત્રાત્મક ગ્રંથ છે.ખૂબ પાઠ કરજો.પાઠ પાકશે ત્યારે એના રહસ્ય ઉદઘાટન કરવા કોઈ મહાપુરુષ આપને મળી રહેશે. ઈશ્વર એકરસ છે,અખંડ છે. અષ્ટમૂર્તિ શિવ છે.હનુમાન કોટેશ્વર છે એટલે ઈશ્વર છે અને સુંદરકાંડમાં હનુમાનજીની શિવ રુપી અષ્ટમૂર્તિ દેખાય છે. આજે જગતને જે શાસ્ત્રની જરૂર છે એ રામચરિતમાનસ છે.એક માનસ પકડી લીધું તો બેડો પાર છે. અષ્ટમૂર્તિ હનુમાન-ઈશ્વરની પહેલી લીલા અતુલિત બલધામં છે.લંકામાં પ્રવેશ કરે છે ત્યારે કોઈથી ડરતા નથી.હેમશૈલાભ દેહં-આખો સોનાનો બનેલો છે. દનુજવનકૃશાનુ- રાક્ષસોનાં વનને બાળવા માટે હનુમાન અગ્નિ છે.હનુમાને સુષેણ,રાવણ,વિભિષણ, કુંભકર્ણ અને સીતાજીનું આંગણું બાળ્યું નથી. જ્ઞાનિનાં અગ્રગણ્યમ-જ્ઞાની ઘણા હોય પણ જ્ઞાની બંધનથી ડરે છે.જ્ઞાનીનો અગ્રણી હનુમાન બંધન પણ સ્વિકારે છે.સકલ ગુણનિધાનં-એના ગુણોનો કોઈ પાર નથી.વાનરાણાંધિશં-વાનરોમાં શ્રેષ્ઠ.જેને હનુમાન બાહુકમાં રામ મહાવીર કહીને બોલાવે છે. રઘુપતિ પ્રિયભક્તમ-અનેક કસોટી પાર કરીને રઘુપતિના સૌથી પ્રિય ભક્તોમાં છે.વાતજાતં- આપણને સ્પર્શીને,અડીને,મદદ કરીને નીકળી જાય એટલે કે એ અસંગ છે-આ એનું આઠમું લક્ષણ છે. રામાયણમાં કોટ શબ્દ સાત વખત આવ્યો છે. શિવચરિત્ર ની કથામાં ૮૭ હજાર વર્ષની સમાધિ પછી શિવ જાગે છે.સતીને સન્મુખ આસન આપે છે. રસપ્રદ કથાઓ કરે છે.એ વખતે દક્ષયજ્ઞમાં જવા માટે ઉપરથી વિમાનો જાય છે.સતી જીદ કરીને આમંત્રણ ન હોવા છતાં યજ્ઞમાં જાય છે.ત્યાં શિવનું અપમાન જુએ છે.ત્રણેય દેવતાઓનાં સ્થાપન નથી, સતિ યજ્ઞને ધ્વંશ કરીને પોતે પણ પ્રાણ ત્યાગ કરે છે. યજ્ઞ બલિદાન માટે હોય બદલા માટે ન હોય.
Read More »સોની બીબીસી અર્થ રાકેશ ખત્રીને અર્થ ચેમ્પિયન તરીકે સન્માનિત કરે છે
રાષ્ટ્રીય ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: સોની બીબીસી અર્થ, જે તેની વિચારપ્રેરક પહેલ અને આકર્ષક સામગ્રી માટે જાણીતી છે, તે આ મહિના માટે રાકેશ ખત્રીને તેના ‘અર્થ ચેમ્પિયન‘ તરીકે જાહેર કરતા ગર્વ અનુભવે છે. ભારતના નેસ્ટ મેન તરીકે જાણીતા, મિ. ખત્રીએ ટકાઉ માળાઓ બનાવવા માટે પર્યાવરણને અનુકૂળ સામગ્રીના નવીન ઉપયોગ દ્વારા પક્ષીઓના સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની પહેલથી શહેરી વિસ્તારોમાં લાખો પક્ષીઓ માટે સલામત રહેઠાણ પૂરું પાડવામાં આવ્યું છે. શહેરીકરણ અને રહેઠાણના નુકશાન વચ્ચે પક્ષીઓને ઘર પૂરું પાડવાના તેમના સમર્પણથી પ્રેરિત થઈને, રાકેશને ટેટ્રા પેક, જ્યુટ અથવા તો લાકડાના ટુકડાઓનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ માળાઓ બનાવવાનો વિચાર આવ્યો. શરૂઆતના પડકારો અને અડચણોનો સામનો કરીને, રાકેશે દ્રઢતાથી કામ કર્યું. તેના પ્રયત્નોનું ફળ મળ્યું, જ્યારે એક પક્ષીએ તેના પહેલા માળામાં નિવાસ કર્યો. ત્યારથી, તેમણે માત્ર માળાઓ બનાવવાનું જ ચાલુ રાખ્યું નથી, પરંતુ વાર્તાલાપ, પાઠ અને વર્કશોપ્સ દ્વારા પક્ષી સંરક્ષણ માટે સક્રિયપણે હિમાયત પણ કરી છે. પરિણામે, અત્યાર સુધીમાં 7 લાખથી વધુ માળાઓ બનાવવામાં આવ્યા છે અને તેમનો આગામી લક્ષ્ય 10 લાખથી વધુ માળાઓ બનાવવાનો છે. મિ. ખત્રીને પ્રતિષ્ઠિત લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ એવોર્ડ મળ્યો છે. તેમની સિદ્ધિઓને અનેક પ્રશંસાઓ સાથે વિશ્વભરમાં માન્યતા મળી છે. મિ. ખત્રીનો વિડીયો અને ભારતના નેસ્ટમેન બનવા સુધીની તેમની સફર અહીં જુઓ. ટિપ્પણીઓ: રોહન જૈન, સોની AATH ના બિઝનેસ ઓપરેશન્સ હેડ અને ઈંગ્લિશ ક્લસ્ટર, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયાના માર્કેટિંગ એન્ડ ઈનસાઈટ્સના હેડ. “રાકેશ ખત્રીનું પક્ષી સંરક્ષણ પ્રત્યેનું સમર્પણ અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો તેમનો નવીન ઉપયોગ સોની બીબીસી અર્થની ટકાઉપણાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. પક્ષીઓ માટે વધુ સારી દુનિયા બનાવવાના તેમના અથાક પ્રયત્નોએ અસંખ્ય લોકોને પ્રેરણા આપી છે. અમે આશા રાખીએ છીએ કે તેમની વાર્તા અન્ય લોકોને હરિયાળા ભવિષ્યમાં ફાળો આપવા માટે પ્રેરિત કરશે.“ મિ. રાકેશ ખત્રી, અર્થ ચેમ્પિયન, સોની બીબીસી અર્થ. “સોની બીબીસી અર્થ તરફથી આ સન્માન મેળવીને હું ખૂબ જ સન્માનિત છું. પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની મારી પ્રતિબદ્ધતા શેર કરતા પ્લેટફોર્મનો ભાગ બનવું મારા માટે એક સૌભાગ્યની વાત છે. મારા દ્વારા બનાવવામાં આવતો દરેક માળો ટકાઉ ભવિષ્યની આશાનું પ્રતિનિધિત્વ કરે છે, અને મને પર્યાવરણ પ્રત્યે સભાન સમુદાયોનું નિર્માણ ચાલુ રાખવા માટે પ્રેરણા મળે છે.“
Read More »પીએનબી મેટલાઈફે યુલિપ્સની ઓફરો વિસ્તારતાં પીએનબી મેટલાઈફ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઈન્ડેક્સ ફંડ રજૂ કર્યું
મુંબઈ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: પીએનબી મેટલાઈફ ઈન્ડિયા ઈન્શ્યુરન્સ કંપની લિમિટેડ (પીએનબી મેટલાઈફ) દ્વારા તેની યુનિટ લિંક્ડ ઈન્શ્યુરન્સ પ્લાન્સ (યુપિલ્સ) ઓફરમાં નવો ઉમેરો પોતાનું નવું ઈન્ડેક્સ- આધારિત ફંડ ઉમેરો પીએનબી મેટલાઈફ નિફ્ટી 500 મોમેન્ટમ 50 ઈન્ડેક્સ ફંડ (ફંડ રજૂ કર્યું છે. ફંડ પોલિસાધારકને નિફ્ટી 500 ઈન્ડેક્સમાં ટોચના 50 ઉચ્ચ ગતિશીલ શેરોની કામગીરીનું પગેરું રાખીને બજારની ગતિ પર લાભ લેવામાં મદદ કરીને તેમને …
Read More »લિમકા તૃપ્તિ ડિમરી સાથે ‘લાઈમ ‘એન’ લેમની’ કેમ્પેઈન સાથે તે જોશ પાછી લાવી
કેમ્પેઈનફિલ્મઃ https://youtu.be/qUYcyrlxFx0?si=MnJSFn6u2UAmFef7 નવી દિલ્હી ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: કોકા-કોલા ઈન્ડિયાની ઘરઆંગણે વૃદ્ધિ પામેલી બ્રાન્ડ લિમકા સર્વત્ર પ્રતિકાત્મક બનેલું પીણું છે. તેના અજોડ ક્લાઉડી બબલ્સથી ઝેસ્ટી ટેસ્ટ સુધી, જે મહત્ત્વપૂર્ણ રીતે ભારતીય છે, લિમકા ખરા અર્થમાં અન્ય કોઈ નહીં આપી શકે તેવો અનુભવ છે. અનેહવે ભારતનું સૌથી વહાલું લેમની ડ્રિંક લિમકા તેની રોમાંચક નવી સમર કેમ્પેઈન સાથે રિફ્રેશમેટના નવા યુગમાં પ્રવેશ કરી રહી …
Read More »વિઝિટ દુબઈ એ ભારતીય ડિઝાઇનર ગૌરવ ગુપ્તા સાથે મળીને દુબઈથી પ્રેરિત કેપ્સ્યુલ કલેક્શન પ્રસ્તુત કર્યું.
મુખ્ય ડિઝાઇનર તરીકે ગૌરવ ગુપ્તા પોતાની પરંપરાગત ભારતીય ડિઝાઇન અને ડેકોર ટેકનિકને ભવિષ્યલક્ષી વિચારસરણી સાથે જોડવા માટે જાણીતા છે. તેવી જ રીતે, તે દુબઈની ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે સાંસ્કૃતિક વારસામાં મૂળ ધરાવતા ભવિષ્યવાદી ગંતવ્ય તરીકે ઉભરી આવે છે. મુંબઇ ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫: વિઝિટ દુબઈ એ ભારત અને દુબઈ વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી કરતા અનોખા કેપ્સ્યુલ કલેક્શનને પ્રસ્તુત કરવા માટે …
Read More »ભારતની ગેમ-ચેન્જિંગ સફળતાઓનું પ્રદર્શન: મેરિકો ઇનોવેશન ફાઉન્ડેશને ભારતીય ઇનોવેશન આઇકોન્સની 10મી આવૃત્તિની ઉજવણી કરી
અગાઉ ઇનોવેશન ફોર ઇન્ડિયા એવોર્ડ્સ તરીકે ઓળખાતી, 2025 ની આવૃત્તિને આ પ્રતિષ્ઠિત દ્વિવાર્ષિક કાર્યક્રમની 10 મી વર્ષગાંઠ નિમિત્તે ઇન્ડિયન ઇનોવેશન આઇકોન્સ 2025 તરીકે ફરીથી બ્રાન્ડેડ કરવામાં આવી છે. લગભગ બે દાયકાથી, ભારતીય નવીનીકરણ ચિહ્નો એક અગ્રણી મંચ રહ્યું છે, જે ઉચ્ચ-સંભવિત નવીનતાઓને વહેલાસર ઓળખવા અને તેની ઉજવણી કરે છે, જે ભારતમાં નવીનતા મુખ્ય પ્રવાહનું કેન્દ્ર બન્યું તેના લાંબા સમય પહેલા …
Read More »