જી.એસ.ટી.કાયદા અને પોર્ટલમાં સુધારા અંગે નાણાં મંત્રાલય અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને રજૂઆત

Spread the love

ગુજરાત, અમદાવાદ | ૧૮મી ઓગસ્ટ ૨૦૨૫: ઈન્કમ ટેક્સ બાર એસોસિએશન, અમદાવાદ (ITBA) અને ઓલ ગુજરાત ફેડરેશન ઑફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ (AGFTC) દ્વારા સંયુક્તપણે તાજેતરમાં માનનીય કેન્દ્રિય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ ને જી.એસ.ટી.કાયદા અને પોર્ટલ માં સુધારા અંગે રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતમાં જી.એસ.ટી. કાયદા, તે અંતર્ગત નીતિ તેમજ જી.એસ.ટી. પોર્ટલની કામગીરીમાં સુધારા અંગે વ્યવહારુ અને અમલયોગ્ય સૂચનો રજૂ કર્યા છે.

એસોસિએશન ના નિષ્ણાતો ના જણાવ્યા મુજબ પ્રથમવાર માત્ર ફરિયાદ ના બદલે વ્યવહારુ સૂચનો અને તેનો અમલ કેવી રીતે થઇ શકે તે દ્રષ્ટિકોણથી કરવામાં આવેલ આ હકારાત્મક સૂચનો અનુભવી કરનિષ્ણાતો, તથા અન્ય હિતધારકો સાથે ચર્ચા બાદ તૈયાર કરાયા છે.આ રજુઆતનો મુખ્ય ઉદ્દેશ વિવાદો ઘટાડવા, કમ્પ્લાયન્સને સરળ બનાવવું અને પોર્ટલના ટેકનિકલ કાર્યોમાં સુધારો લાવવાનો છે.

એસોસિએશન ના નિષ્ણાતો ના જણાવ્યા મુજબ સેક્શન 74 હેઠળ વન-ટાઈમ અમનેસ્ટી યોજના, એપિલેટ ટ્રિબ્યુનલને વહેલી તકે શરુ કરવામાં આવે, દંડની રકમમાં સુધારા, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને રાહત અને જી.એસ.ટી. પોર્ટલમાં ટેકનિકલ સુધારાઓ જી.એસ.ટી. વિભાગના અધિકારીઓ અને વેપારીઓ બંને માટે ફાયદાકારક બનશે.

આ રજૂઆતની નકલ રેવેન્યુ સેક્રેટરી, ગુજરાતના નાણાંમંત્રી, સી.બી.આઈ.સી.ના ચેરમેન અને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર જી.એસ.ટી. વિભાગના ચીફ કમિશનરને પણ મોકલવામાં આવેલ છે.


Spread the love

Check Also

ONCOWIN કેન્સર સેન્ટર દ્વારા એસ.જી. હાઇવે પર ‘કેન્સર વોરિયર્સ’ દ્વારા તેના નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Spread the love અમદાવાદ, ગુજરાત | ૨૬ જુલાઈ ૨૦૨૬ | આ રવિવારે એસ.જી. હાઇવે (સાયન્સ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *