ચોટીલા નજીક અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

Spread the love

અમદાવાદ 26 નવેમ્બર 2024: પ્રાપ્ત વિગતો અનુસાર લીંબડી તાલુકાના શિયાણી ગામે રહેતા લોકો એક પીકઅપ વાહન લઇને પિતૃકાર્ય અર્થે સોમનાથ જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનું વાહન ચોટીલા નજીક ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારનાં ચાર બહેનોના કરુણ મોત નિપજયા હતા અને અનેક લોકોને ઈજા પહોંચી હતી. આ દુઃખદ ઘટનામાં માર્યા ગયેલાઓને પુજ્ય મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૬૦ હજારની સંવેદના રાશિ અર્પણ કરી છે. આ રાશિ લીંબડી સ્થિત રામકથાના શ્રોતા (શ્રી કેતન વ્યાસ ) દ્વારા પહોંચતી કરવામાં આવશે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.


Spread the love

Check Also

એબ્ડોમિનલ કેન્સર સામે જાગૃતિ દોડ – કેન્સર દિવસ માટે મલ્ટી-સીટી વોકેથોનના રૂપમાં એક પ્રભાવશાળી પ્રારંભ

Spread the loveરાષ્ટ્રવ્યાપી વોકેથોન એબ્ડોમિનલ કેન્સરની  સમયસર તપાસ અને સારવારના મહત્વ પર ભાર મૂકે છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *