અમદાવાદ, ગુજરાત | ૧૬ જુલાઈ ૨૦૨૬ | રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી રહેલી ગુજરાત ઇન્જેક્ટ (કેરળ) લિમિટેડ (BSE: 524238) એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિકમાં નોંધપાત્ર નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીની ઓપરેશનલ આવકમાં પાંચ ગણાથી વધુ વધારો થયો છે, જ્યારે ચોખ્ખા નફામાં 1,600 ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે. કંપનીના જણાવ્યા મુજબ, આ વૃદ્ધિ તેના ક્લીન એનર્જી બિઝનેસ તરફના વ્યૂહાત્મક પરિવર્તનનું પરિણામ છે.
મંગળવારે યોજાયેલી બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં 30 જૂન 2026ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકના સ્ટેન્ડઅલોન અનઓડિટેડ નાણાકીય પરિણામોને મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ કંપનીનું નામ બદલીને રિજેનોવા રિન્યુટેક લિમિટેડ (Regenova Renewtech Limited) રાખવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી, જે કંપનીની નવી વ્યવસાયિક દિશાને પ્રતિબિંબિત કરે છે.
એપ્રિલથી જૂન 2026 દરમિયાન કંપનીની ઓપરેશન્સમાંથી આવક વધીને ₹12.45 કરોડ થઈ હતી, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં તે ₹2.42 કરોડ હતી. આમ કંપનીએ વર્ષદર વર્ષે 414 ટકાનો વધારો નોંધાવ્યો છે.
આ સમયગાળા દરમિયાન કંપનીનો કર બાદનો નફો (PAT) વધીને ₹1.25 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં તે માત્ર ₹7.35 લાખ હતો. એટલે કે કંપનીએ ચોખ્ખા નફામાં લગભગ 1,600 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. પ્રતિ શેર આવક (EPS) પણ ₹0.05થી વધીને ₹0.86 થઈ છે.
જાન્યુઆરીથી માર્ચ દરમિયાન મોટા ઓર્ડર્સના અમલીકરણને કારણે અગાઉના ત્રિમાસિકમાં આવક અસાધારણ રીતે ઊંચી હતી, જેના કારણે આ ત્રિમાસિકમાં આવકમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં કંપનીએ મજબૂત નફાકારકતા જાળવી રાખી છે. નોંધનીય છે કે પ્રથમ ત્રિમાસિકનો PAT એકલો જ સમગ્ર FY2025-26ના કુલ સ્ટેન્ડઅલોન નફાના લગભગ 69 ટકા જેટલો છે, જે સુધરેલી કામગીરી અને મજબૂત માર્જિનનો પુરાવો આપે છે.
કંપનીએ નેતૃત્વ સ્તરે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડે મુરલી શિવશંકરણ નાયરને ત્રણ વર્ષ માટે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે 6 જુલાઈ, 2026થી પદભાર સંભાળ્યો છે. ઉત્પાદન, વહીવટ અને કોર્પોરેટ વિકાસ ક્ષેત્રે તેમનો લાંબો અનુભવ કંપનીના સ્વચ્છ ઊર્જા ક્ષેત્રમાં વિસ્તરણને નવી દિશા આપશે.
કંપનીએ પોતાનું નામ બદલીને રિજેનોવા રિન્યુટેક લિમિટેડ રાખવાનો પણ નિર્ણય લીધો છે. આ પ્રસ્તાવિત રિબ્રાન્ડિંગ કંપનીના સોલાર ફોટોવોલ્ટેઇક મોડ્યુલ વિતરણ અને અન્ય ક્લીન એનર્જી સોલ્યુશન્સ ક્ષેત્રે વધતા વ્યાપને પ્રતિબિંબિત કરે છે.
કંપનીનો રિન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો સતત વિસ્તરી રહ્યો છે, જેમાં મોટા સોલાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું સફળ અમલીકરણ તેમજ ગુજરાતના મહેસાણા જિલ્લાના જકાસણા ખાતે આવેલા 5 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું સંચાલન સામેલ છે.
આ પ્રસંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મુરલી શિવશંકરણ નાયરએ જણાવ્યું હતું: “અમે કંપનીની વિકાસયાત્રાના એક નવા અને ઉત્સાહજનક તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ. પ્રથમ ત્રિમાસિકના મજબૂત પરિણામો અમારી વ્યૂહાત્મક દિશા અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં વધી રહેલી ગતિને પ્રતિબિંબિત કરે છે. ‘રિજેનોવા રિન્યુટેક લિમિટેડ’ તરીકેનું પ્રસ્તાવિત પરિવર્તન સ્વચ્છ ઊર્જા, ટકાઉ વિકાસ અને લાંબા ગાળાના મૂલ્ય સર્જન પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે. અમે ઉત્તમ અમલીકરણ, ગ્રાહકો સાથે મજબૂત સંબંધો અને ભવિષ્ય માટે સ્કેલેબલ વ્યવસાયિક પ્લેટફોર્મ ઊભું કરવા પ્રતિબદ્ધ છીએ.”
== સમાપ્ત ==
Aajna Samachar